બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને મળશે 'ભારત રત્ન' સમ્માન, મોદી સરકારનુ એલાન
Bharat Ratna Announcement: બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન સમ્માન આપવામાં આવશે, જેની જાહેરાત કેન્દ્રની મોદી સરકારે મંગળવારે કરી હતી. તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ ભવન તરફથી એક નિવેદન જાહેર કરીને 'ભારત રત્ન' સંબંધિત માહિતી શેર કરવામાં આવી છે.
મોદી સરકારે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે બુધવારે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ થવા જઈ રહી છે. ભારત રત્નની જાહેરાત બાદ પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યું, "મને ખુશી છે કે ભારત સરકારે સામાજિક ન્યાયના પ્રતિક એવા મહાન જનનેતા કર્પૂરી ઠાકુરજીને ભારત રત્નથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે અને તે પણ એવા સમયે જ્યારે આપણે તેમની જન્મશતાબ્દીની ઉજવણી કરી રહ્યા છીએ."

પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત સન્માન હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો માટે સમાનતા અને સશક્તિકરણના હિમાયતી તરીકે તેમના સતત પ્રયાસોનું પ્રમાણ છે. પીએમ મોદીએ લખ્યું કે દલિતોના ઉત્થાન માટે તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને તેમના દૂરંદેશી નેતૃત્વએ ભારતના સામાજિક-રાજકીય તાણાં-વાણાં પર અમીટ છાપ છોડી છે. આ પુરસ્કાર માત્ર તેમના નોંધપાત્ર યોગદાનને જ સન્માનિત કરતું નથી પરંતુ વધુ ન્યાયી અને સમાન સમાજ બનાવવાના તેમના મિશનને ચાલુ રાખવા માટે પણ આપણને પ્રેરણા આપે છે.
બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુર પછાત વર્ગના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતા. બિહારમાં તેઓ એક વખત ઉપ મુખ્યમંત્રી અને બે વખત મુખ્યમંત્રી રહી ચુક્યા છે. દાયકાઓ સુધી ધારાસભ્ય રહેલા કર્પૂરી ઠાકુર ક્યારેય ચૂંટણી હાર્યા નથી. 1952માં પ્રથમ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ, તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારેય હાર્યા ન હતા.
24 જાન્યુઆરી 1924ના રોજ સમસ્તીપુરમાં જન્મેલા કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. જો કે તેઓ એક વખત પણ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નથી. તમને જણાવી દઈએ કે બિહારમાં દારૂબંધી લાગુ કરનાર તેઓ પ્રથમ હતા.
તમને જણાવી દઈએ કે કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની માંગ જનતા દળ યુનાઈટેડ (JDU) દ્વારા સોમવારે જ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હવે જેડીયુએ મોદી સરકારનો આભાર વ્યક્ત કર્યો છે.
I am delighted that the Government of India has decided to confer the Bharat Ratna on the beacon of social justice, the great Jan Nayak Karpoori Thakur Ji and that too at a time when we are marking his birth centenary. This prestigious recognition is a testament to his enduring… pic.twitter.com/9fSJrZJPSP
— Narendra Modi (@narendramodi) January 23, 2024
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
