પર્યાવરણવિદ જીડી અગ્રવાલનું નિધન, 112 દિવસથી હતા ભૂખ હડતાળ પર
ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા.
ગંગાને બચાવવા માટે 22 જૂનથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા પર્યાવરણવિદ જી ડી અગ્રવાલનું નિધન થઈ ગયુ છે. તેઓ 86 વર્ષના હતા. આઈઆઈટીના પ્રોફેસર રહી ચૂકેલ જી ડી અગ્રવાલનો ગંગાને બચાવવા માટેનો આ 5મો ઉપવાસ હતો. જી ડી અગ્રવાલ કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પહેલા સભ્ય સચિવ રહી ચૂક્યા હતા અને ગંગાને બચાવવા માટે ઘણા લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા હતા.

ઉત્તરાખંડ સરકારે તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે કહ્યુ હતુ પરંતુ તેઓ માન્યા નહોતા. પ્રો. જી ડી અગ્રવાલે જળ ત્યાગ કર્યાના આગલા દિવસે બુધવારે બપોરે પ્રશાસને તેમને જબરદસ્તીથી લઈ જઈને ઋષિકેષ સ્થિત એઈમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા હતા. જી ડી અગ્રવાલને સ્વામી જ્ઞાન સ્વરૂપ સાનંદના નામે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ સરકારની આમરણાંત ઉપવાસ ખતમ કરવાની કોશિશોને માનવા તૈયાર નહોતા અને ગંગાને બચાવવા માટે પોતાની લડાઈ લડતા રહ્યા.
આ પહેલા વર્ષ 2011 માં માતૃસદનના એક સંત નિગમાનંદનું પણ આમરણાંત ઉપવાસ કરવા દરમિયાન મૃત્યુ થઈ ગયુ હતુ. જેનો ઘણો વિવાદ થયો હતો. તેઓ ગંગા સંરક્ષણ માટે સરકાર દ્વારા બનાવવામાં આવેલ કાયદાના સખત વિરોધમાં હતા. તેમનું કહેવુ હતુ કે આ કાયદો મંત્રીઓ અને અધિકારીઓના હાથનું રમકડુ બની જશે અને ગંગા પોતાનું વાસ્તવિક રૂપ ગુમાવી દેશે.
-
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી







Click it and Unblock the Notifications
