જનરલ મનોજ પાંડેએ નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો!
જનરલ મનોજ પાંડેએ નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 29મા આર્મી ચીફ બન્યા છે. વર્તમાન જનરલ એમએમ નરવણે શનિવારે નિવૃત્ત થયા હતા.
જનરલ મનોજ પાંડેએ નવા આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. તેઓ 29મા આર્મી ચીફ બન્યા છે. વર્તમાન જનરલ એમએમ નરવણે શનિવારે નિવૃત્ત થયા હતા.

જનરલ પાંડે 1.3 મિલિયની મજબૂત સેનાનું નેતૃત્વ કરનાર કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના પ્રથમ અધિકારી છે. જનરલ પાંડેએ 1 ફેબ્રુઆરીના રોજ ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્રણ મહિના બાદ તેમણે સેના પ્રમુખની જવાબદારી સંભાળી લીધી છે.
General Manoj Pande, PVSM, AVSM, VSM, ADC takes over as the 29th #COAS of #IndianArmy from General MM Naravane.
— ADG PI - INDIAN ARMY (@adgpi) April 30, 2022
जनरल मनोज पांडे, परम विशिष्ट सेवा मेडल, अति विशिष्ट सेवा मेडल, विशिष्ट सेवा मेडल, ऐड डि कैंप ने जनरल एम एम नरवणे से #भारतीयसेना के 29वें #सेनाध्यक्ष का पदभार संभाला। pic.twitter.com/Mphsz1pvrP
અગાઉ જનરલ પાંડે ઈસ્ટર્ન આર્મી કમાન્ડનું નેતૃત્વ કરી રહ્યા હતા, જેને સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) ની સુરક્ષા સોંપવામાં આવી હતી. જનરલ પાંડેએ એવા સમયે ભારતીય સેનાનો હવાલો સંભાળ્યો જ્યારે ભારત પાકિસ્તાન અને ચીન સાથે એલઓસી અને એલએસી સહિત અનેક સુરક્ષા પડકારોનો સામનો કરી રહ્યું છે.
આર્મી ચીફ તરીકે જનરલ પાંડેએ ભારતીય નૌકાદળ અને ભારતીય વાયુસેના સાથે થિયેટર કમાન્ડને રોલ આઉટ કરવાની સરકારની યોજના પર સંકલન કરવું પડશે. જનરલ પાંડેએ શનિવારે સાઉથ બ્લેકમાં એક સમારોહમાં જનરલ નરવણે પાસેથી પદ સંભાળ્યું હતું. પાંડે ભારતીય સેનાની 117 એન્જિનિયર્સ રેજિમેન્ટ સાથે સંબંધ ધરાવે છે. તેમને 24 ડિસેમ્બર 1982ના રોજ ભારતીય સેનાના કોર્પ્સ ઓફ એન્જિનિયર્સમાં કમિશન આપવામાં આવ્યું હતું.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
