પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ ઘર-ઘર આટા સ્કીમમાં સુધારો કરાશે
હાઇકોર્ટની રોક અને ઘણા વિવાદોના કારણે સરકાર પહેલા ઓકટોબરના રોજ ઘર-ઘર આટા સ્કીમ લાગૂ કરી શકી ન હતી. હવે આ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ સુધારા સાથે લાગૂ કરવામાં આવશે.
ચંદીગઢ, 02 ઓકટોબર : હાઇકોર્ટની રોક અને ઘણા વિવાદોના કારણે સરકાર પહેલા ઓકટોબરના રોજ ઘર-ઘર આટા સ્કીમ લાગૂ કરી શકી ન હતી. હવે આ પંજાબ વિધાનસભાના વિશેષ સત્ર બાદ સુધારા સાથે લાગૂ કરવામાં આવશે.
સોમવારના રોજ વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ સત્ર બાદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અન્ન અને પુરવઠા વિભાગના મંત્રીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજીને યોજનામાં જરૂરી સુધારાની ખાતરી કરવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ખાદ્ય અને પુરવઠા વિભાગના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ પણ હાલની યોજના મુદ્દે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. આ સાથે પંજાબ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, લોકોને ઘરે ઘરે લોટ અને દાળ આપવામાં આવશે. ડેપો ધારક પાસે જવાની જરૂર રહેશે નહીં.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી બીપીએલ કાર્ડધારકો ડેપોમાં જઈને રાશન લેતા હતા. વિભાગ ડેપોને રાશન સપ્લાય કરે છે અને આગળ ડેપો ધારકો દ્વારા તેનું વિતરણ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઘણા લોકોને રોજગારી પણ મળે છે.