ગ્લેનમાર્કના સંશોધનમાં દાવો, ફેબીફ્લુ દવા કોરોનાની સારવારમાં અસરકારક છે!
ભારતની અગ્રણી ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે તેની ફોર્મ્યુલેશન ડ્રગ ફેવિપિરાવિર (ફેબીફ્લુ) નો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ (પીએમએસ) અભ્યાસ પૂર્ણ કર્યો છે.
ભારતની અગ્રણી ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે તેની ફોર્મ્યુલેશન ડ્રગ ફેવિપિરાવિર (ફેબીફ્લુ) નો પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ (પીએમએસ) અભ્યાસ પૂર્ણ કર્યો છે. કંપનીએ આ અભ્યાસ હળવા અને સાધારણ અસરગ્રસ્ત કોરોના દર્દીઓ પર કર્યો હતો. કોરોના દર્દીઓ પર આ દવાથી સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આ પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ અભ્યાસ જુલાઈ 2020 માં શરૂ થયો. ગ્લેનમાર્કે 1000 થી વધુ COVID દર્દીઓમાં ફેવિપિરાવિરની અસર પર પોસ્ટ માર્કેટિંગ સર્વેલન્સ અભ્યાસ હાથ ધર્યો હતો.

19 જૂન, 2020 ના રોજ ગ્લેનમાર્ક ભારતની પ્રથમ કંપની બની, જેણે ભારતના ડ્રગ રેગ્યુલેટર પાસેથી ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મેળવી. આ કંપની દ્વારા હાથ ધરાયેલો અભ્યાસ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI) તરફથી પ્રતિબંધિત કટોકટીના ઉપયોગની મંજૂરી પછી શરૂ કરવામાં આવ્યો હતો.
ગ્લોબલ ઇન્ટીગ્રેટેડ ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે બુધવારે જણાવ્યું હતું કે પીએમએસ અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે. કોવિડ -19 ના 1,000 થી વધુ દર્દીઓ પર આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. પરિણામોએ આ દવાના ઉપયોગ સાથે કોઈ નવા સલામતી સંકેતો અથવા ચિંતા દર્શાવી નથી અને નબળાઈ, જઠરનો સોજો, ઝાડા, ઉલટી વગેરે જેવી પહેલેથી જાણીતી આડ અસરો જોવા મળી છે. તાવ 4 દિવસમાં રિકવર થયો હતો. જ્યારે ઉપચારનો સમય 7 દિવસ હતો.
તારણો પર વાત કરતા, ભારત ફોર્મ્યુલેશનના ગ્રુપ વાઇસ પ્રેસિડેન્ટ અને હેડ આલોક મલિકે જણાવ્યું હતું કે, આ અભ્યાસ મહત્વનો હતો, કારણ કે તેણે વાસ્તવિકતાથી ફેબીફ્લુની સલામતી અને અસરકારકતાની તપાસ કરાઈ હતી, જ્યાં ઘણા પરિબળો પરિણામોને અસર કરી શકે છે. આ પરિબળો માટે પીએમએસ અભ્યાસમાં લક્ષણોથી રાહત આપવા અને હળવાથી મધ્યમ COVID-19 ધરાવતા દર્દીઓમાં દરરોજ સતત સુધારો થતો જોવા મળ્યો હતો. ગ્લેનમાર્ક અને તબીબી સમુદાય બંને માટે આ એક આગળનું પગલું છે, કારણ કે આ મહામારી સામે લડવા માટે ઓરલ એન્ટિવાયરલ્સના ઘણા ફાયદાઓને ઉજાગર કરે છે.
આ પીએમએસ અભ્યાસ ફેવિપિરાવિર બજારમાં લોન્ચ થયા પછી પણ સલામતી અને અસરકારકતાનું મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે. અભ્યાસમાં દર્દીઓની સરેરાશ ઉંમર 40 વર્ષ હતી, જેમાં મહિલાઓ 40 ટકા હતી, જ્યારે પુરુષો 60 ટકા હતા.
આ દર્દીઓમાં હાયપરટેન્શન 11% અને ડાયાબિટીસ 8% એ બે સૌથી સામાન્ય સહવર્તી રોગો હતા. તમામ દર્દીઓમાં તાવ બેઝલાઇન પર હતો, ત્યારબાદ ઉધરસ 81%, થાક 46.2% અને સ્વાદ ન આવવાની સમસ્યા 41% ટકા હતી.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
