મ્યાનમારમાં રહેતા ભારતીયો માટે સરકારે જારી કરી એલર્ટ, ઘરમા રહેવા કરી અપીલ, જારી કર્યું ફ્લાઇટ શિડ્યુલ
મ્યાનમારમાં સરકારને બરતરફ કરતી વખતે મ્યાનમારમાં સૈન્ય શાસન એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યું છે. આ જોતાં ભારત સરકારે મ્યાનમારમાં ભારતીયો માટે ચેતવણી જારી કરી છે. મ્યાનમારમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એલર્ટ જારી કરતાં ક
મ્યાનમારમાં સરકારને બરતરફ કરતી વખતે મ્યાનમારમાં સૈન્ય શાસન એક વર્ષ માટે લાગુ કરવામાં આવ્યું છે. આ જોતાં ભારત સરકારે મ્યાનમારમાં ભારતીયો માટે ચેતવણી જારી કરી છે. મ્યાનમારમાં ભારતીય દૂતાવાસે ભારતીયો માટે એલર્ટ જારી કરતાં કહ્યું છે કે, મ્યાનમારની બદલાયેલી રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તમામ ભારતીયોને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. મ્યાનમારમાં રહેતા ભારતીયોને વિનંતી છે કે તેઓ જરૂર શિવાય ઘરની બહાર નિકળે નહી. અને જરૂર પડે તો તુરંત જ ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.
મ્યાનમારમાં સત્તા બદલાયા પછી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ (નવી દિલ્હીની ફ્લાઇટ) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે બાદ મ્યાનમારની યાંગોનથી નવી દિલ્હીની 4 ફેબ્રુઆરીની ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. સત્તાવાર માહિતી આપતાં મ્યાનમારમાં ભારતીય દૂતાવાસે જણાવ્યું છે કે હવે યંગુનથી નવી દિલ્હીની ફ્લાઇટ 11 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવી છે.
મ્યાનમાર અને ભારત ફક્ત પાડોશી દેશો નથી, પરંતુ બંને દેશોના ખૂબ સારા સંબંધ છે. તેથી, મ્યાનમારની સત્તા સૈન્યના હાથમાં આવવું ભારત માટે આંચકાથી ઓછું નથી. કોરોના સંક્રમણ દરમિયાન પણ ભારતે રસીનો મોટો માલ મ્યાનમાર મોકલ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક પ્રેસ નોટ બહાર પાડીને મ્યાનમારમાં સૈન્ય બળવો પર ઉંડી ચિંતા વ્યક્ત કરી છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ભારત સરકારે હંમેશાં મ્યાનમારમાં લોકશાહી પ્રક્રિયાની પુનસ્થાપનાને સમર્થન આપ્યું છે. ભારતનું માનવું છે કે કોઈ પણ દેશમાં કાયદાના શાસન અને લોકશાહી પ્રક્રિયા હેઠળ રાજકીય નિર્ણયો લેવા જોઈએ. અમે મ્યાનમારમાં પણ લોકશાહી સરકાર જોઈએ છે. હાલમાં ભારત સરકાર મ્યાનમારની દરેક ઘટનાઓ પર નજર રાખી રહી છે.
આ પણ વાંચો: Farmers protest: ઓક્ટોંબર પહેલા ખત્મ નહી થાય ખેડૂત આંદોલન: રાકેશ ટીકૈત