તમારા સુધી જલ્દી કેશ પહોંચે તે માટે સરકારે લીધો આ મોટો નિર્ણય
સરકાર ટ્રાંસપોર્ટેશનની બધી રીતો ઉપયોગ કરી રહી છે જેમાં હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેનનો પણ સમાવેશ થાય છે...
સરકારે લોકોને પડી રહેલી કેશની તકલીફને ધ્યાનમાં લેતા કેશને પ્રીંટીંગથી લઇને બેંક સુધી પહોંચાડવામાં લાગતા 21 દિવસના સમયને ઘટાડીને 6 દિવસ બનાવવાની યોજના બનાવી લીધી છે. આ માટે સરકાર ટ્રાંસપોર્ટેશનની બધી રીતોનો ઉપયોગ કરી રહી છે જેમાં હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

સરકારને આશા છે કે આગામી અઠવાડિયામાં બધી સ્થિતિ નોર્મલ થઇ જશે. સરકાર માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ કેશની સમસ્યાને ઉકેલવા કટિબદ્ધ છે. ઉચ્ચ સરકારી સૂત્રો અનુસાર બધી આર્થિક ગતિવિધિઓ 15 જાન્યુઆરી સુધી સામાન્ય થઇ જશે.

500 અને 1000 ની નોટ બંધ થવાને કારણે સરકારને જે આવક થશે તેનો ઉપયોગ બેંકોના રીકેપિટલાઇઝેશન, ઇંફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અને સેના માટે એડવાંસ વેપન સિસ્ટમ માટે કરવામાં આવશે.

9 નવેમ્બરથી બંધ છે નોટ
તમને જણાવી દઇએ કે સરકારે 500 અને 1000 રુપિયાની નોટોને 9 નવેમ્બરથી બંધ કરી દીધી છે અને આના બદલે 500 અને 2000 રુપિયાની નવી નોટો જારી કરી છે. સાથે જ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, દૂધ બુથ, પેટ્રોલ પંપ જેવી જ્ગ્યાઓ પર 24 નવેમ્બર સુધી જૂની નોટો ચલાવી શકવાની છૂટ આપવામાં આવી છે.

દેશના ઘણા બધા એટીએમ જરુરિયાત અનુસાર કામ કરી શકતા નથી જેના કારણે મોટાભાગના એટીએમ બંધ રહે છે અને જે ખૂલે છે તેની સામે લાંબી લાઇનો લાગેલી હોય છે. બેંકો સામે પણ લાંબી લાઇનો લાગેલી હોય છે. સરકારે જૂની નોટ પ્રતિદિન 2000 રુપિયાના હિસાબે બદલવા માટે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી








Click it and Unblock the Notifications
