હિન્દી ભાષા અનિવાર્ય કરવા પર બબાલ, હવે સરકાર આ પગલાં લેશે
ગેર-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દીની અનિવાર્યતા વિરોધમાં કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછું લઇ લીધું છે.
ગેર-હિન્દી ભાષી રાજ્યોમાં હિન્દીની અનિવાર્યતા વિરોધમાં કેન્દ્ર સરકારે પોતાનું પગલું પાછું લઇ લીધું છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઘ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી ડ્રાફ્ટ પર સફાઈ આપતા કહ્યું કે વિધાર્થી જે ભાષા ભણવા માંગે, તે ભણવા માટે આઝાદ છે. કોઈ પણ ભાષા જરૂરી નહીં બનાવવામાં આવે અને ડ્રાફ્ટ પર ફરી વિચાર કરવામાં આવશે.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ પર કસ્તૂતીરંગાન સમિતિએ આપેલા ડ્રાફ્ટમાં ત્રણ ભાષા ફોર્મ્યુલા લાગુ કરવાનો સુઝાવ આપ્યો હતો. તેના હેઠળ 8માં ધોરણ સુધી હિન્દી ભાષા ફરિજયાત કરવાની સિફારિશ કરવામાં આવી હતી, જેનો દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં વિરોધ થઇ રહ્યો છે.
કેન્દ્રીય માનવ સંસાધન મંત્રી રમેશ પોખ્રિયાલે ત્રણ ભાષાના ડ્રાફ્ટમાં જણાવ્યું હતું કે, "અમને એક નવી શિક્ષણ નીતિ ડ્રાફ્ટ મળી છે." જુદા જુદા પક્ષોની અભિપ્રાય લેવામાં આવશે, જેના પછી તેને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવશે. આનાથી બિનજરૂરી રાજકીય વિવાદ ઊભો થાય છે. એવું ન હોવું જોઈએ, તે માત્ર એક ડ્રાફ્ટ છે. અમારી સરકાર બધી ભારતીય ભાષાઓને માન આપે છે અને અમે બધી ભાષાઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. કોઈપણ પ્રદેશ પર કોઈ ભાષા લાગુ કરવામાં આવશે નહીં. આ અમારી નીતિ છે, તેથી આના પર વિવાદ કરવાની જરૂર નથી. સરકારના અન્ય પ્રધાનોએ પણ સ્પષ્ટ કર્યું છે કે હિન્દી લાદવામાં આવશે નહીં.
આ ડ્રાફ્ટ માટે તમિલનાડુ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોના વિરોધ થઇ રહ્યો છે. ડીએમકેના રાજ્યસભાના સાંસદ તિરુચી શિવા અને મક્કલ નિધિ મૈયમ નેતા કમલ હસનએ આ અંગે વિરોધ વ્યક્ત કર્યો છે. તિરુચિ સીવાએ કેન્દ્ર સરકારને ચેતવણી આપી કે કેન્દ્રીય સરકાર તમિલનાડુમાં હિન્દીને અમલમાં મૂકવા માટે આગ સાથે રમી રહી છે. ભાજપના સાથી એઆઈએડીએમકેના નેતાઓએ હવે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સામે વિરોધ નોંધાવ્યો છે.