છેલ્લા 8 વર્ષમાં નોકરી માટે 22 કરોડ આવેદન, પરંતુ માત્ર 7.22 લાખને રોજગાર - સંસદમાં સરકારનો જવાબ
સરકારી નોકરીઓ માટે અરજી કરનારા લોકોમાંથી 1 ટકાથી ઓછા લોકોને નોકરી મળી છે. જાણો સંસદમાં રજૂ કરવામાં આવેલા આંકડા.
નવી દિલ્લીઃ સરકારી નોકરી શોધી રહેલા લોકો માટે છેલ્લા 8 વર્ષ ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. સરકારી નોકરીઓ માટે અરજી કરનારા લોકોમાંથી 1 ટકાથી ઓછા લોકોને નોકરી મળી છે. વર્ષ 2014-15થી વર્ષ 2021-22ની વચ્ચે કુલ 22.05 કરોડ લોકોએ સરકારી નોકરીઓ માટે અરજી કરી હતી. આ લોકોએ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરી હતી. આ આંકડા બુધવારે લોકસભામાં સરકાર દ્વારા શેર કરવામાં આવ્યા હતા.

8 વર્ષમાં રોજગાર ઘટ્યો
કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે લોકસભામાં આ આંકડા શેર કર્યા. તેમણે કહ્યુ કે 2019-20માં 1.47 લાખ લોકોને રોજગારી મળી છે. વર્ષ 2019ની વાત કરીએ તો એ જ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણી યોજાઈ હતી. તે જ વર્ષે કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. ડેટામાં ખુલાસો થયો છે કે છેલ્લા 8 વર્ષમાં કુલ 220599238 લોકોએ નોકરી માટે અરજી કરી હતી જેમાંથી 722311 લોકોની પસંદગી કરવામાં આવી હતી. જે કુલ અરજીની સરખામણીમાં માત્ર 0.33 ટકા છે.

આ વર્ષે 10 લાખ ભરતીનુ એલાન
તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા આ વર્ષે 10 લાખ લોકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી મિશન મોડ પર કરવામાં આવશે. ખુદ વડાપ્રધાન કાર્યાલયે વિવિધ વિભાગો અને મંત્રાલયોમાં ખાલી જગ્યાઓ પર ચર્ચા કર્યા બાદ આ સૂચના આપી છે. સંસદમાં શેર કરવામાં આવેલા ડેટા અનુસાર, કુલ 22.05 કરોડ અરજીઓમાંથી સૌથી વધુ 5.09 કરોડ અરજીઓ 2018-19માં આવી હતી, જ્યારે સૌથી ઓછી 1.80 કરોડ લોકોએ 2020-21માં અરજી કરી હતી.

1 ટકાથી ઓછા લોકોને મળી નોકરી
ડેટાનુ વિશ્લેષણ કરતા સામે આવ્યુ છે કે દર વર્ષે સરેરાશ 2.75 કરોડ લોકો અરજી કરે છે. જ્યારે દર વર્ષે સરેરાશ માત્ર 90288 લોકોને રોજગાર મળે છે. છેલ્લા 8 વર્ષમાં મળેલી કુલ અરજીઓમાંથી માત્ર .07 ટકાથી 0.80 ટકા લોકોની પસંદગી થાય છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર દ્વારા મેક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્માર્ટ સિટી મિશન, અટલ મિશન, પીએમઈજીપી, મનરેગા, પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ યોજના, દીન દયાલ અંત્યોદય યોજના સહિત રોજગાર માટે ઘણા અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
