ઘાટીમાં સેનાની ગોઠવણી પર રાજ્યપાલનું નિવેદન, ગભરાશો નહીં
જમ્મુ કાશ્મીરમાં વધારે સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. કેટલાક સરકારી વિભાગો ઘ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોને કારણે લોકોમાં ભય ફેલાયો છે.
જમ્મુ કાશ્મીરમાં વધારે સુરક્ષાબળોને ગોઠવી દેવામાં આવ્યા છે. કેટલાક સરકારી વિભાગો ઘ્વારા જાહેર કરવામાં આવેલા આદેશોને કારણે લોકોમાં ભય ફેલાયો છે. શ્રીનગરના ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ઘ્વારા પોતાના સદસ્યોની રજા કેન્સલ કરી દીધી છે અને તેમને સોમવારથી પોતાના કામ પર આવવા માટે જણાવ્યું છે. જેને કારણે લોકોને લાગી રહ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ બની ચુકી છે. પરંતુ જમ્મુ કાશ્મીના રાજ્યપાલે આ બધાને અફવાહ ગણાવતા હતું કે ગભરાશો નહીં.
રાજ્યપાલ સત્યપાલ મલિકે જણાવ્યું કે ઘાટીમાં જવાનોની સંખ્યા વધારવાથી ગભરાશો નહીં. રાજ્યપાલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે જવાનોની વધારાની સંખ્યા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો નિર્ણય છે. તેમને કોઈ પણ પ્રકારના યુદ્ધની સંભાવનાથી ઇન્કાર કર્યો છે. કેટલાક કેટલાક દિવસથી અલગાવવાદી નેતાઓ સામે કાર્યવાહી વધી છે. ઘાટીમાં વિમાન અને હેલીકૉપટરની મુવમેન્ટ પણ વધી છે, જેનાથી આ વાતનો સંકેત મળી રહ્યો છે પાકિસ્તાન સામે કંઈક થવા જઈ રહ્યું છે.
J&K Governor Satya Pal Malik called an informal meeting of State Administrative Council to review current situation particularly in the context of #PulwamaTerrorAttack&subsequent developments. He was informed of gradual induction of additional Central Forces for election purposes pic.twitter.com/KEYl1K3Lnm
— ANI (@ANI) February 24, 2019
આપને જણાવી દઈએ કે આર્ટિકલ 35એ પણ પણ સુપ્રીમકોર્ટમાં સુનાવણી થવા જઈ રહી છે. આ આર્ટિકલ અનુસાર જમ્મુ કાશ્મીરના લોકોને અહીંના સ્થાનીય નાગરિક માનવામાં આવ્યા છે અને દેશના બાકીના ભાગના લોકોને અહીં જમીન ખરીદવાની પરમિશન નથી. મોદી સરકાર ઘ્વારા પહેલ કરવામાં આવી અને તેમને સાફ કર્યું કે તેઓ આ આર્ટિકલની વિરુદ્ધમાં છે. પરંતુ રાજ્યપાલ સત્યપાલ મલિક ઘ્વારા સાફ જણાવી દેવામાં આવ્યું છે કે આવું કઈ પણ થવાનું નથી. તેમને કહ્યું કે અફવાહોને ખબરનું નામ આપવામાં આવી રહ્યું છે.
J&K Raj Bhavan: Divisional Commissioner, Kashmir rationed petrol&diesel supply to conserve whatever is available for emergency purposes. Steps being taken to increase availability of stocks in valley. Public should see it only as an administrative measure in a shortage situation. https://t.co/gu5yIE5xVo
— ANI (@ANI) February 24, 2019