For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહ જુઓ, અયોધ્યામાં જ બનશે રામ મંદિર: સંઘ

|
Google Oneindia Gujarati News

લખનઉ, 17 ઓક્ટોબર: અયોધ્યામાં રામ મંદિર નિર્માણને લઇને નરેન્દ્ર મોદી સરકાર પર હાલમાં કોઇ દબાણ નહીં બનાવવાનો સંકેત આપતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે આજે જણાવ્યું કે આ મુદ્દો ભાજપના ચૂંટણી ઢંઢેરામાં રહ્યો છે અને કેન્દ્ર સરકારની પાસે તેના માટે 2019 સુધીનો સમય છે.

સંઘના સહ સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલે આજે પત્રકારોના એક સવાલના જવાબમાં જણાવ્યું કે રામ મંદિરનો મુદ્દો તો પહેલાથી મેનિફેસ્ટોમાં છે. રામ મંદિર તો દેશના એજન્ડામાં છે- રાષ્ટ્રહિતમાં છે. તેમણે જણાવ્યું કે અમે રામ મંદિર નિર્માણ માટે ધર્માચાર્યો અને વિહિપના આંદોલનને સમર્થન કરી રહ્યા છીએ.

એવું પૂછાતા ભાજપને પૂર્વ બહુમતીની સરકાર બનવા પર મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવાની વાત થતી રહી છે અને હવે ભાજપની બહુમતીવાળી સરકાર બનવા પર શું સંઘ આ સંબંધમાં કોઇ કરશે, હોસબાલે જણાવ્યું સરકારની પોતાની પ્રાથમિકતાઓ છે- સકાર તેમના અનુસાર કામ કરશે, અત્યારે તેમની પાસે 2019 સુધીનો સમય છે.

હોસબાલે સંઘની આજે શરૂ થયેલી ત્રણ દિવસીય અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક અંગે જાણકારી આપતા પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા હતા. આતંકી સંગઠનો અલકાયદા અને આઇએસઆઇએસના પડકારો અંગે પૂછાતા તેમણે વધારે વિસ્તારમાં નહીં જતા જણાવ્યું બેઠકમાં દેશની સુરક્ષાના સંદર્ભમાં પણ ચર્ચા થશે.

mohan
લવ ઝેહાદ સાથે જોડાયેલા સવાલોને હોસબાલે એવું કહેતા ટાળી દીધો કે છેલ્લા 10 વર્ષોમાં આની પર ખૂબ જ ચર્ચા થઇ ચૂકી છે. એવું પૂછાતા કે શું કાર્યકારી મંડળની બેઠકમાં કોઇ રાજનૈતિક અને આર્થિક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે હજી હમણા તો નવી સરકાર આવી છે, પહેલા તેનું કામ જોઇશું.

તેમણે જણાવ્યું કે કાર્યકારી મંડળની આ બેઠકમાં હાજરી આપવા માટે સંઘ પદાધિકારીઓ અને સ્વયંસેવકો ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ અત્રે આવી પહોંચ્યા છે. જે વિશેષ નિમંત્રણ પર આજે બેઠકમાં હાજર રહેશે.

English summary
Govt has time till 2019 to construct Ram temple in Ayodhya: RSS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X