ગુજરાતના રમખાણો મોદીની કારકિર્દીમાં કલંક સમાન : મનોહર પારિક્કર
પણજી, 6 સપ્ટેમ્બર : ગોવાના મુખ્યમંત્રી મનોહર પારિક્કર ફરી એકવાર ભાજપની અંદર તકરાર હોવાની સ્થિતિનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વર્ષ 2002માં ગોધરા કાંડ બાદથી ગુજરાતમાં ભડકેલી કોમી હિંસા નરેન્દ્ર મોદીની કેરિયર પર એક કલંક સમાન છે.
અલબત્ત મોદીએ અંગતરીતે કોમી રમખાણોમાં ભાગ લીધો ન હતો પરંતુ સાંપ્રદાયિક હિંસા તેમના પર એક કલંક સમાન છે. ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા લેવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં પારેકરે આ મુજબની વાત કરી હતી.

તેમણે કહ્યુ હતુકે સાંપ્રદાયિક હિંસામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. અગાઉના હુમલામાં મોટી સંખ્યામાં હિન્દુ શ્રદ્ધાળુઓના મોત બાદ 2002માં લોકોએ નિયંત્રણ કેમ ગુમાવ્યું તે માટે ધણા કારણો છે. આ પ્રકારના બનાવો ફરી બનવા જોઈએ નહીં. વહીવટી તંત્રએ કોઈ પણ હિંસાને રોકવા માટે તરત પગલા લેવા જોઈએ. પરંતુ મુખ્યમંત્રી તરીકે મોદીની નવી કામગીરી હતી.
મોદીની કેરિયર પર આ એક કલંક છે. તપાસમાં મોદીને ક્લીન ચીટ મળી ચુકી છે. તેમનો વિરોધ કરી રહેલા લોકો તેમના અંગે જુદી વિચારધારા ધરાવે છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતમાં સાંપ્રદાયિક હિંસા મામલે તેમની માફીની જરૂર નથી. આ ઉનાળામાં જ પણજીમાં ભાજપની કારોબારી યોજી ચુકેલા પારેકર કહી ચુક્યા છે કે મોદી ભાજપ ચૂંટણી પ્રચાર સમિતિના વડા છે.
-
અમરેલી: ખાંભાના ઈંગોરાળામાં 220 લીટર નકલી દૂધ ઝડપાયુ -
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ







Click it and Unblock the Notifications
