For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરવિંદ કેજરીવાલ પર ગુરૂ અન્ના હજારે વરસ્યા, આબકારી નીતિની કરી ટીકા

દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ગુરૂ અન્ના હઝારેએ પત્ર લખીને કહ્યું છે કે, તમે સ્વરાજ પુસ્તકમા

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં એક્સાઈઝ પોલિસીમાં કથિત કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલી આમ આદમી પાર્ટીની મુશ્કેલીઓ ઓછી થઈ રહી નથી. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને તેમના ગુરૂ અન્ના હઝારેએ પત્ર લખીને કહ્યું છે કે, તમે સ્વરાજ પુસ્તકમાં મોટી-મોટી વાતો લખી હતી પરંતુ તમારા આચરણ પર તેની કોઈ અસર દેખાઈ રહી નથી. આ સાથે અન્ના હઝારેએ લિકર પોલીસીને લગતી સમસ્યાઓ અંગે પણ સૂચનો આપ્યા છે.

Anna Hazare

અન્ના હજારેએ પોતાના પત્રમાં લખ્યું છે કે, 'તમે મુખ્યમંત્રી બન્યા પછી પહેલીવાર હું તમને પત્ર લખી રહ્યો છું. છેલ્લા ઘણા દિવસોથી દિલ્હી સરકારની દારૂની નીતિ વિશે જે સમાચાર આવી રહ્યા છે તે વાંચીને દુઃખ થાય છે. અન્ના હજારેએ કહ્યું કે મહાત્મા ગાંધીના 'ગામ તરફ ચલો'ના વિચારથી પ્રેરિત થઈને મેં મારૂં જીવન ગામ, સમાજ અને દેશ માટે સમર્પિત કર્યું છે. છેલ્લા 47 વર્ષથી હું ગામના વિકાસ માટે કામ કરૂં છું અને ભ્રષ્ટાચાર સામે આંદોલન કરૂં છું.

અન્ના હઝારેએ પત્રમાં લખ્યું છે કે, તમે 'સ્વરાજ' નામના પુસ્તકમાં આદર્શ વાતો લખી છે. ત્યાર બાદ તમારી પાસેથી ઘણી આશાઓ હતી પરંતુ રાજકારણમાં આવ્યા બાદ તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા છો. જેમ દારૂનો નશો છે તેમ સત્તાનો નશો છે. તેથી એવું લાગે છે કે, તમે પણ સત્તાના નશામાં ડૂબી ગયા છો. અન્ના હઝારેએ પણ પોતાના પત્રમાં તેમના આંદોલનનો ઉલ્લેખ કર્યો હતો કે, તમે તમારો રસ્તો ભટકી ગયા છો.

અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હીની નવી આબકારી નીતિની ટીકા કરીને કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. તમારી સરકારે દિલ્હીમાં નવી દારૂની નીતિ ઘડી છે તેથી એવું લાગે છે કે, તે દારૂના વેચાણ અને વપરાશને પ્રોત્સાહિત કરી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. આ તમામ પ્રવૃતિથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને તે જનતાના હિતમાં નથી.

અન્ના હઝારેએ અરવિંદ કેજરીવાલને લખેલા પત્રમાં દિલ્હીની નવી આબકારી નીતિની ટીકા કરીને કહ્યું કે તેનાથી ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળી શકે છે. તમારી સરકારે દિલ્હીમાં નવી દારૂની નીતિ ઘડી છે તેથી એવું લાગે છે કે, તે દારૂના વેચાણ અને વપરાશને પ્રોત્સાહિત કરી શકે છે. શેરીમાં દારૂની દુકાનો ખોલી શકાશે. આ તમામ પ્રવૃતિથી ભ્રષ્ટાચારને પણ પ્રોત્સાહન મળશે અને તે જનતાના હિતમાં નથી.

અન્ના હઝારે કહ્યું હતું કે, 'હું આ પત્ર એટલા માટે લખી રહ્યો છું કારણ કે અમે સૌથી પહેલા રાલેગણસિદ્ધિ ગામમાં દારૂ બંધ કર્યો હતો. ત્યાર બાદ મહારાષ્ટ્રમાં એક સારી દારૂની નીતિ બનાવવા આંદોલનો કર્યા છે. આંદોલનોના કારણે દારૂબંધીનો કાયદો બન્યો હતો જેમાં ગામડા અને શહેરની 51 ટકા મહિલાઓ ખરાબ કેદીની તરફેણમાં મતદાન કરે તો દારૂ પર પ્રતિબંધ થઈ જાય છે. બીજો ગ્રામ રક્ષક દળનો કાયદો બન્યો હતો જેના દ્વારા દરેક ગામમાં યુવાનોનું જૂથ મહિલાઓની મદદથી ગામમાં ગેરકાયદેસર દારૂ સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.

English summary
Guru Anna Hazare lashed out at Arvink Kejriwal, criticized the excise policy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X