લૉકડાઉન ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ શરૂ થઈ શકે છે ઘરેલુ ઉડાનો માટે બુકિંગ
21 દિવસના લૉકડાઉન જો આગળ ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ એરલાઈન્સ કંપનીઓ ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કરી શકે છે.
21 દિવસના લૉકડાઉન જો આગળ ન લંબાયુ તો 14 એપ્રિલ બાદ એરલાઈન્સ કંપનીઓ ઘરેલુ ઉડાનો માટે બુકિંગ શરૂ કરી શકે છે. આ અંગેની માહિતી વાન મંત્રી હરદીપ સિંહ પુરીએ એક વીડિયો કૉન્ફરન્સિંગ દરમિયાન કહી. તેમણે આગળ કહ્યુ કે 15 એપ્રિલના રોજ લૉકડાઉન ખતમ થયા બાદ સ્થિતિને જોતા આંતરરાષ્ટ્રીય ઉડાનો ચાલુ કરવા પર વિચાર કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય ઉડાનો વિશે તેમણે કહ્યુ કે આ એ વાત પર નિર્ભર કરશે કે કયા દેશમાંથી ફ્લાઈટ આવી રહી છે. સાથે જ તેમણે એ પણ કહ્યુ કે ઘણા દેશોમાં ફસાયેલા ભારતીયને હજુ 15 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. હરદીપ સિંહ પુરીએ કહ્યુ કે ભારતથી પોતાના દેશમાં જતા વિદેશી નાગરિકોને લઈને જતી ઉડાનો કોઈ યાત્રીને લઈને પાછી નહિ આવે. ભારતે યુએસ, બ્રિટન અને જર્મની જેવા દેશોને પોતાના નાગરિકોને પાછા લઈ જવા માટે વિશેષ વિમાનની અનુમતિ આપી છે. એર ઈન્ડિયાના પ્રમુખ રાજીવ બંસલે આ વિશે જણાવતા કહ્યુ કે કંપનીએ ફ્રાંસ, આયરલેન્ડ, જર્મની અને કેનાડાના નાગરિકોને પહોંચાડવા માટે તેમની સાથે અનુબંધ કર્યો છે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના એલાન બાદ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવાઓને સ્થગિત કરી દેવામાં આવી હતી.
જો કે આ દરમિયાન માલવાહક વિમાન, મેડીકલ મદદ સાથે જોડાયેલી ઉડાનો શરૂ થઈ શકે છે. દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 21 દિવસનુ લૉકડાઉન છે. લૉકડાઉનમાં વિમાન સેવાઓ સાથે સાથે ટ્રેન, મેટ્રો અને બસ સેવાઓ પણ સ્થગિત કરી દીધી છે. આ દરમિયાન કોઈને બહાર નીકળવાની અનુમતિ નથી અને લોકોને ઘરોમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યુ છે. ભારતમાં કોરોના વાયરસા કેસ છેલ્લા અમુક દિવસોમાં વધ્યા છે અને સંક્રમિત દર્દીઓની સંખ્યા 2283 સુધી પહોંચી ગઈ છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
