Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હરિયાણા ચૂંટણીઃ 13 ઓક્ટોબરે 3 જનસભાને સંબોધિત કરશે રાજનાથ સિંહ

વરિષ્ઠ ભાજપ નેતા તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચૂંટણી રાજ્ય હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે 13 ઓક્ટોબરથી ઘણી રેલીઓ કરશે.

વરિષ્ઠ ભાજપ નેતા તેમજ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ચૂંટણી રાજ્ય હરિયાણા અને મહારાષ્ટ્રમાં પાર્ટી ઉમેદવારો માટે 13 ઓક્ટોબરથી ઘણી રેલીઓ કરશે. ભારતીય વાયુસેનાને પહેલુ રાફેલ ફાઈટર પ્લેન સોંપવાના કાર્યક્રમમાં શામેલ થવા માટે ત્રણ દિવસના પ્રવાસે ફ્રાંસ ગયેલા રાજનાથ ગુરુવારે સ્વદેશ પાછા આવ્યા અને તેમણે પોતાની યાત્રાને અત્યંત સાર્થક ગણાવી. તેમણે ટ્વિટ કર્યુ, હું હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં 13 થી 18 ઓક્ટોબર સુધી પાર્ટી માટે પ્રચાર કરીશ.

rajnath singh

હરિયાણામાં 13 ઓક્ટોબરના રોજ ત્રણ રેલીઓને સંબિધિત કરીશ. રાજનાથે કહ્યુ કે હરિયાણા બાદ તે મહારાષ્ટ્રમાં બે દિવસ 14 અને 15 ઓક્ટોબરના રોજ ચૂંટણી સભાઓને સંબોધિત કરશે. તમને જણાવી દઈએ કે હરિયાણામાં 21 ઓક્ટોબરના રોજ વિધાનસભા ચૂંટણી માટે મત આપવામાં આવશે જ્યારે પરિણામો 24 ઓક્ટોબરના રોજ આવશે. 90 વિધાસભા સીટોવાળા હરિયાણામાં એક જ તબક્કામાં મતદાન થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X