હરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકે
હરિયાણા ચૂંટણીઃ આ 5 બાબા પાસે ભક્તોનો જબરો વોટ બેંક, બાજી પલટાવી શકે
દિલ્હીઃ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીની તરીખોની ઘોષણા થઈ ચૂકી છે અને અહીં હવે સૌની નજર રાજ્યના તાકતવર સાધુ સંતોના ડેરા પર પણ છે જેમની પાસે ભક્તોનો તગડો વોટ બેંક ગમે તેને હરાવી કે જીતાવી શકે છે. આ કારણે નેતા આવા બાબાઓના દરબારમાં ચૂંટણીલક્ષી આશિર્વાદ લેવા જતા હોય છે. માત્ર હરિયાણાના નેતા જ નહિ બલકે રાષ્ટ્રીય સ્તરના નેતાએ પણ આ બાબાઓના દરબારમાં હાજરી લગાવતા હોય છે. હરિયાણાના બે પ્રભાવશાળી બાબા, રામપાલ અને રામરહીમ હાલ જેલમાં છે પરંતુ આ બંને ન હોવા પર અન્ય બાબાઓની રાજનૈતિક તાકાતમાં વધારો થયો છે. આવે આવા કેટલાક બાબાઓ વિશે જાણીએ જે આ વખતે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં કોઈપણ ઉમેદવારની જીત કે હારમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે.

બાબા બાલક નાથ
રાજસ્થાનમાં અલવરના સાંસદ બાબા બાલક નાથ હરિયાણાના રોહતક-દિલ્હી રોડ સ્થિત બાબા મસ્તનાથ વિશ્વવિદ્યાલયના ચાંસલર છે. રોહતક અને જિંદ વચ્ચે મસ્તનાથ ડેરા છે જેના ઘણા અનુયાયી નાથ સમુદાયના છે જે દેશભરમાં ફેલાયેલા છે. બાબા બાલક નાથ યાદવ સમુદાયથી આવે છે. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા સાથે તેમના નજીકના સંબંધો છે.

કાલીદાસ મહારાજ
રોહતક જિલ્લાના સાંપલામાં કાલીદાસ મહારાજનો ડેરા છે. તેમના વિશે જણાવવામાં આવે છે કે માત્ર નારિયણનું પાણી પીને જીવે છે. 2017માં અમિત શાહ તેમના ડેરામાં આવ્યા હતા. સીએમ મનોહર લાલ ખટ્ટર અને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત કેટલાય મોટા ભાજપી નેતા પણ ડેરા પર આવી ચૂક્યા છે. કાલિદાસ મહારાજ ડેરામાં ભાજપના બેનર હેઠળ કેટલાય કાર્યક્રમ કરાવતા રહે છે. તેમના વિશે કહેવામાં આવે છે કે પ્રધાનમંત્રી મોદી સુધી તેમની પહોંચ છે.

બાબા કપિલ પુરી
રોહતક શહેરમાં જ ગૌકરણ ધામ ડેરા છે જેના મુખ્યા બાબા કપિલ પુરી છે. પંજાબી સમુદાયથી આ ડેરાના ઘણા અનુયાયી છે. કપિલ પુરનો ઝુકાવ કોંગ્રેસ તરફ હોવાનું માનવામાં આવે છે અને ભૂપેન્દ્ર હુડ્ડાના તેઓ નજીકના હોવાનું પણ જણાવવામાં આવે છે. બાબા દાવો કરે છે કે રાજનીતિમાં તેમને કોઈ રસ નથી પણ તેઓ કોઈપણ પાર્ટીની ટિકિટ મેળવી શકે તેટલા સક્ષમ છે.

બાબા કરણ પુરી
રોહતકમાં પંજાબી સમુદાયના લોકો પર કરણ પુરીનો જબરો પ્રભાવ છે. તેઓ બાલક પુરી ડેરાના મુખ્યા છે અને આ ડેરા ડબલ ફાટક ક્ષેત્રમાં છે. આ ડેરામાં ભાજપી નેતા આવતા રહે છે અને બાબા પણ ભાજપી નેતાના કાર્યક્રમોમાં હાજરી આપતા જોવા મળે છે. જણાવવામાં આવે છે કે પંજાબી સમુદાયના લોકો બે ડેરામાં વહેંચાયેલા છે. બાબા કપિલ પુરી અને બાબા કરણ પુરી, બંનેના હજારો અનુયાયી છે.

મહંત સતીશ દાસ
મહંત સતીશ દાસ પહેલા ભારતીય રાષ્ટ્રીય લોક દળમાં હતા પરંતુ બાદમાં તેઓ ભાજપમાં સામેલ થઈ ગયા. 2014ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રીય લોક દળની ટિકિટ પર મહમ ક્ષેત્રથી ચૂંટણી લડ્યા તા અને ત્રીજા સ્થાન પર રહ્યા હતા. રોહતકના મહમ એરિયામાં જ તેમનો ડેરા છે. મહમના ગામના લોકો તેમના અનુયાયી છે અને તેમના પર પ્રભાવ છે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
