અરવિંદ કેજરીવાલની જામીન પરજી પર સૂનાવણી પુરી, કોર્ટ ચુકાદો અનામત રાખ્યો
દિલ્હી લીકર પોલીસી કેસમાં દિલ્હી હાઈકોર્ટે ઈડી દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ પર આદેશ અનામત રાખ્યો છે. આ સાથે ઇડીના રિમાન્ડને પડકારતી અરજી પર ટ્રાયલ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે.
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડના સમય અંગે ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે, આનાથી કેજરીવાલને ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લેતા અટકાવીને લોકતાંત્રિક સિદ્ધાંતો જોખમાશે.

ચર્ચાની શરૂઆત કરતા સિંઘવીએ કહ્યું કે આ ધરપકડ પ્રથમ વોટ પડે તે પહેલા જ પાર્ટીને ખતમ કરવાનો પ્રયાસ છે.
તેમણે કેજરીવાલની ધરપકડની જરૂરિયાત અને સમય પર પ્રશ્નો ઉઠાવ્યા અને ભાર મૂક્યો કે સમાન તકનો અર્થ માત્ર શબ્દો કરતાં વધુ છે. મુક્ત, નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા અને લોકશાહી અને તેના મૂળભૂત મૂલ્યોને જાળવવા મહત્વપૂર્ણ છે.
તેમણે એમ પણ કહ્યું કે ધરપકડના સમયનો હેતુ કેજરીવાલને ચૂંટણી લડવાથી વંચિત રાખવાનો હતો અને તે કોઈપણ મત પડે તે પહેલા તેમની પાર્ટીને નબળી પાડવાનો પ્રયાસ હતો. આમ લોકશાહી નિષ્પક્ષતા અને ચૂંટણી પ્રક્રિયાને પડકારવામાં આવી.
તેમણે દલીલ કરી કે ઓક્ટોબર 30, 2023 (1લી સમન્સની તારીખ) અને 16 માર્ચ (9મી સમન્સની તારીખ) વચ્ચે EDને PMLAની કલમ 50ને સમર્થન આપતી કોઈ સામગ્રી પ્રાપ્ત થઈ નથી.
ED રિમાન્ડ અરજીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ મુખ્યમંત્રીની ભૂમિકા જાણવા માંગે છે, જે ધરપકડનો આધાર બની શકે નહીં. જણાવી દઈએ કે, 1 એપ્રિલે રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે.












Click it and Unblock the Notifications
