લખનઉ હિંસાના આરોપીઓના પોસ્ટર હટાવવાનો હાઇકોર્ટે કર્યો આદેશ
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નાગરિકત્વ સુધારણા કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ અને સરકારી સંપત્તિના નુકસાન પછી યોગી સરકારે બદમાશોની ઓળખ કરી હતી. આ દુષ્કર્મ કરનારાઓને ચિહ્નિત કર્યા પછી, તેમના પોસ્ટરો
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં નાગરિકત્વ સુધારણા કાયદા વિરુદ્ધ થયેલા હિંસક વિરોધ અને સરકારી સંપત્તિના નુકસાન પછી યોગી સરકારે બદમાશોની ઓળખ કરી હતી. આ દુષ્કર્મ કરનારાઓને ચિહ્નિત કર્યા પછી, તેમના પોસ્ટરો લખનઉના જુદા જુદા ચોક પર મૂકવામાં આવ્યા હતા. આ બાબતે અલ્હાબાદ હાઈકોર્ટે યોગી સરકારને આદેશ આપ્યો છે કે આ પોસ્ટરો હટાવવામાં આવે.

હાઇકોર્ટે આપ્યો આદેશ
તમને જણાવી દઈએ કે 19 ડિસેમ્બર, 2019 ના રોજ લખનૌમાં સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) વિરુદ્ધ હિંસક પ્રદર્શન થયા હતા. સખત નારાજગી વ્યક્ત કરતાં, અલ્હાબાદ હાઈકોર્ટે હિંસક પ્રદર્શનમાં જાહેર સંપત્તિને નુકસાન કરનારા આરોપીઓના ફોટા અને હોર્ડિંગ્સને હટાવવાનો આદેશ આપ્યો છે. રવિવારે આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ કોર્ટે આજે આ મુદ્દે પોતાનો ચુકાદો આપતી વખતે આ પોસ્ટરોને હટાવવાનો નિર્દેશ આપ્યો છે.

150 લોકોની ઓળખ થઈ
નોંધપાત્ર વાત એ છે કે સીએએના વિરોધમાં ગયા વર્ષે 19 ડિસેમ્બરે લખનૌના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા ફેલાઈ હતી. આ દરમિયાન ઉપદ્રવીઓએ ખાનગી વાહનોને આગ ચાંપી દીધી હતી, જેમાં અનેક જાહેર સંપત્તિને નુકસાન પહોંચ્યું હતું. રાજ્ય સરકારે કહ્યું હતું કે ઉપદ્રવીઓએ કરેલ નુકશાનનું વળતર મળવું જોઈએ. આ પછી પોલીસે ફોટો-વીડિયોના આધારે 150 થી વધુ લોકોને નોટિસ મોકલી હતી. તપાસ બાદ મળેલા પુરાવાના આધારે વહીવટ દ્વારા 57 લોકોને જાહેર સંપત્તિને નુકસાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.

નુકસાનની ભરપાઇ માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા
લખનઉમાં ગત ગુરુવારે 57 લોકોનાં નામ, ફોટોગ્રાફ્સ અને સરનામાંવાળા હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા હતા. તેમાં ભૂતપૂર્વ આઇપીએસ અધિકારી એસઆર દારાપુરી અને સામાજિક કાર્યકર અને અભિનેત્રી સદાફ ઝફર પણ હતા. વહીવટી તંત્ર અને પોલીસના જણાવ્યા અનુસાર, આ લોકો ગયા વર્ષે નાગરિકતા સુધારો કાયદા સામે હિંસક પ્રદર્શનમાં સામેલ થયા હતા અને પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિને થતાં નુકસાનની ભરપાઇ કરવા માટે આ લોકોને હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે.
આ પણ વાંચો: કોરોના વાયરસના કારણે પીએમ મોદીનો બાંગ્લાદેશ પ્રવાસ પણ રદ
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો








Click it and Unblock the Notifications
