અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુ-શીખ ભારતીયો આજે ભારત આવશે
અફઘાનિસ્તાનમાં ફસાયેલા હિન્દુ-શીખ ભારતીયો આજે ભારત આવશે
અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી બાદથી અફઘાનિસ્તાનમાં રહેતા લોકોનું પલાયન યથાવત છે. હાલાત થોડા સામાન્ય થયા બાદ ભારતે ફરી એકવાર અફઘાનિસ્તાનથી પોતાના નાગરિકોને બહાર કાઢવાનું કામ શરૂ કરી દીધું છે. ભારત સરકાર દ્વારા અફઘાન મોકલાયેલ સ્પેશિયલ ચાર્ટર્ડ વિમાન આજે દિલ્હી પહોંચે તેવી સંભાવના છે. આ વિમાનમાં અફઘાન મૂળના હિન્દુ અને શીખ સમુદાયના નાગરિકોને પણ લાવવામાં આવી રહ્યા છે.

ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પીએસ ચંડોકે જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારથી પરેશાન સ્થાનિક હિન્દુ-શીખ સમુદાયના લોકો ઉપરાંત ભારતીય નાગરિકોના અફઘાન મૂળના પતિ/પત્નીને પણ ભારત લાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, આ ગર્વની વાત છે કે અફઘાનિસ્તાનમાં ઐતિહાસિક ગુરુદ્વારોના 3 પવિત્ર શ્રી ગુરુ ગ્રંથ સાહિબ જી અને પ્રાચીન 5મી સદીના અસમાઈ મંદિર, કાબુલથી રામાયણ, મહાભારત અને ભગવત ગીતા સહિત હિન્દુ ધાર્મિક ગ્રંથોને વિમાનમાં લાવવામાં આવી રહ્યા છે.
ઈન્ડિયન વર્લ્ડ ફોરમના અધ્યક્ષ પુનીત સિંહ ચંડોકે એક નિવેદનમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં પ્રતાડિત થયેલા લોકોના આગમન બાદ સોબતી ફાઉન્ડેશન દ્વારા તેમનો પુનર્વાસ કરવામાં આવશે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
