... તો દેશમાં બની જશે 50 રાજ્ય
તેલંગણા
રાજ્યને
મંજૂરી
આપ્યા
બાદ
ગૃહમંત્રાલયને
20થી
વધુ
નવા
રાજ્યોના
નિર્માણ
માટે
પ્રસ્તાવો
મળ્યા
છે.
ખાસ
વાત
એ
છે
કે
નવા
રાજ્યો
સાથે
જોડાયેલી
માંગો
આખા
દેશમાંથી
આવી
છે.
જેમાં
મણિપુરમાં
કુકીલેન્ડ,
તમિળનાડુમાં
કંગુનાડુ,
નોર્થ
બંગાળમાં
કામતાપુર
અને
કર્ણાટકમાં
તુલુનાડુ
પણ
સામેલ
છે.
હવે
ગૃહ
મંત્રાલય
માટે
આ
માંગોને
માનવી
મોટી
મુશ્કેલી
બની
ગયું
છે.
તેવામાં
જો
સરકાર
આ
માંગણીને
સ્વિકારી
લે
તો
ભારતમાં
50થી
વધુ
રાજ્યો
બની
જશે.
વ
તેલંગણા
બાદ
દેશમાં
અલગ-અલગ
ભાગોથી
અલગ
રાજ્ય
માટે
માંગો
ઉઠવા
લાગી
છે.
અલગ
રાજ્ય
માટે
પ્રદર્શન
થઇ
રહ્યાં
છે.
આસામના
કાર્બી
આંગલાંગમાં
હિંસા
જારી
છે.
કાર્બી
આંગલાંગમાં
સતત
પાંચમા
દિવસે
પણ
અલગ
રાજ્યને
લઇને
ચાલી
રહેલી
હિંસા
જારી
રહી.
બંધ
દરમિયાન
સામાન્ય
જનજીવન
સંપૂર્ણપણે
પ્રભાવિત
રહ્યું.
પ્રદર્શનકારીઓએ
સરકારી
ઓફિસ
ઉપરાંત
કેટલાક
નેતાઓની
સંપત્તિને
આગ
ચાંપી.
કર્ફ્યુમાં
4
કલાકની
છૂટ
રહી,
ત્યારબાદ
ફરીથી
લાગુ
કરી
દેવામાં
આવ્યું.
બીજી
તરફ
દાર્જલીંગમાં
પણ
પ્રદર્શન
જારી
છે.
અલગ
રાજ્યની
માંગને
લઇને
સંઘર્ષ
કરી
રહેલા
ગોરખા
જનમુક્તિ
મોર્ચા
રાજ્યભરમાં
પ્રદર્શન
કરી
રહ્યાં
છે.