રેપિસ્ટનું કોર્ટરૂમમાં જ કર્યું હતુ મોબ લિંચિંગ, પ્રાઇવેટ પાર્ટ કાપી નાખતા થયું મોત
સોમવારે રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને ગૃહમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું.
સોમવારે રાજ્યસભાના સાંસદ જયા બચ્ચને ગૃહમાં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. હૈદરાબાદમાં 26 વર્ષીય ડોક્ટરની સાથે થયેલી નિર્દયતા પર બોલતા જયાએ કહ્યું હતું કે કોઈપણ બળાત્કાર કરનારને જાહેર જનતાને સોંપવો જોઈએ જેથી ટોળું તેમને સજા કરે. કેટલાક લોકો જયાની વાતનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ વર્ષ 2004માં દેશમાં બળાત્કાર કરનારને સજા આપવામાં આવી હતી. તે કિસ્સામાં, કોર્ટની અંદર એક કે બે નહીં પરંતુ 200 મહિલાઓએ બળાત્કાર કરનારની હત્યા કરી હતી.
જજની ચેર પાછળ જ થયું હતું મોત
રેપિસ્ટ અક્કુ યાદવની નાગપુરમાં 12 ઓગસ્ટ 2004 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. બીજા જ દિવસે એટલે કે 13 ઓગસ્ટના રોજ નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 3 વાગ્યે બળાત્કાર કરનાર 32 વર્ષીય અક્કુ યાદવની 200 મહિલાઓ દ્વારા હત્યાના સમાચાર ફેલાતા દેશભરમાં ફફડાટ ફેલાયો હતો. શહેરના કસ્તુરબા નગરની મહિલાઓએ 15 મિનિટમાં જ અક્કુની હત્યા કરી હતી. જજની બેઠકની પાછળના ભાગમાં અક્કુનું મોત નીપજ્યું. અક્કુએ 10 વર્ષ સુધી આ મહિલાઓ પર બળાત્કાર ગુજાર્યો હતો અને તે સતત છટકી રહ્યો હતો. આ તમામ મહિલાઓ પર અક્કુએ બળાત્કાર ગુજાર્યો હતો.
અક્કુના શરીર પર હતા 70 ઘા
આ મહિલાઓએ પહેલા તેના ચહેરા પર મરચાનો પાવડર ફેંકી દીધો, અને પછી તેને પથ્થરથી માર્યો. આ પછી, એક પીડિતાએ તેના પ્રાઇવેટ પાર્ટને તીક્ષ્ણ ધારની છરીથી તેના શરીરથી અલગ કરી દીધું હતું. અક્કુના શરીર પર 70 ઘા હતા. નાગપુર ડિસ્ટ્રિક્ટ કોર્ટ નંબર સાતમાં સંગેમરમરના ફ્લોર પર અક્કુની હત્યાએ વર્લ્ડ મીડિયામાં પણ હેડલાઇન્સ બની હતી. અક્કુની હત્યા પછી તમામ મહિલાઓએ ન્યાયાધીશને કહ્યું હવે તમે અમારી ધરપકડ કરી શકો છો.
કોર્ટે દરેક આરોપીને છોડી દીધા
પોલીસે આ ઘટનામાં શરૂઆતમાં પાંચ મહિલાઓની ધરપકડ કરી હતી પરંતુ શહેરમાં વિરોધ પ્રદર્શનને કારણે તેમને છોડી દેવામાં આવી હતી. કસ્તુરબા નગર એ નાગપુરનો ઝૂંપડપટ્ટી વિસ્તાર છે અને અહીં રહેતી દરેક મહિલાએ અક્કુની હત્યાની જવાબદારી લીધી હતી. આ હત્યામાં ઉષા નારાયણની પણ અન્ય મહિલાઓની જેમ ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ 2012 માં, તે છૂટી થઇ હતો. આ ઉપરાંત, છ મહિલાઓ સહિત 24 વધુ લોકોની પહેલા ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાવાના અભાવે છોડી દેવામાં આવી હતી.
કોર્ટે કહ્યું કે મોબ લિચિંગના કોઈ પુરાવા નથી
અદાલતના ન્યાયાધીશે પોતાના અહેવાલમાં ઉલ્લેખ કર્યો છે કે મોબ લિચિંગના કોઈ પુરાવા નથી. તેમજ પોલીસના નિવેદનો પર વિશ્વાસ કરી શકાતો નથી. આ ઉપરાંત, કોર્ટે અક્કુના ટોપ્સી રિપોર્ટને મહત્વપૂર્ણ પુરાવા તરીકે ગણાવી હતી કે અક્કુના લોહીમાં મૃત્યુ સમયે દારૂ હતો. ન્યાયાધીશે કહ્યું કે સ્પષ્ટ છે કે અક્કુ જેલમાં પોલીસની મદદ લઈ રહ્યો છે.
પીડિતાઓની પોલીસ ઉડાવતી હતી મજાક
અક્કુ યાદવે વર્ષ 1991 થી 2004 સુધી ગુનો કર્યો હતો. જ્યારે મહિલાઓ તેના વિશે ફરિયાદ કરવા પોલીસમાં ગઈ હતી, ત્યારે તેમની મજાક ઉડાવવામાં આવી હતી અને તેમને ત્યાથી ભગાડવામાં આવ્યા હતા. જ્યારે 22 વર્ષીય યુવતીના પિતાએ પુત્રીના બળાત્કારનો અહેવાલ પોલીસને લખવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોલીસે તેનો આરોપ લગાવ્યો કે તેની પુત્રીનું અક્કુ સાથે અફેર હતું. અક્કુના ભત્રીજા અમન યાદવને પણ 2013માં આવા જ સંજોગોમાં મારી નાંખવામાં આવ્યો હતો.