નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...
નિર્મલા સીતારમણ બાદ હવે અશ્વિની ચોબેએ ડુંગળી પર આપ્યું વાહિયાત નિવેદન, કહ્યું કે...
નવી દિલ્હીઃ ડુંગળીની વધતી કિંમતોને લઈ સંસદમાં ભારે હંગામો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાય ભાગોમાં ડુંગળીની કિંમતો 120થી 150 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિન ચોબેએ ડુંગળીની વધતી કિંમતોને લઈ વાહિયાત નિવેદન આપ્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ કેન્દ્રીય રાજ્ય મંત્રી અશ્વિની ચોબેએ કહ્યું કે તેમણે ડુંગળી ક્યારેય નથી ચાખી, માટે ડુંગળીની કિંમત શું છે તેમને કેવી રીતે ખબર હશે?

સંસદમાં ડુંગળીના ભાવ સાથે જોડાયેલ સવાલ પર કેન્દ્રીય મંત્રી અને બિહારથી ભાજપી સાંસદ અશ્વિની ચોબેએ કહ્યું કે, 'હું શાકાહારી માણસ છું અને મેં ડુંગળી ક્યારેય નથી ચાખી, તો તેના ભાવ કેટલા હશે મને શું ખબર હોય?' અશ્વિની ચોબેએ નિર્મલા સીતારમણના નિવેદનનો બચાવ પણ કર્યો. તેમણે કહ્યું કે સીતારમણ જીએ ક્યારેય કોઈ વિવાદાસ્પદ નિવેદન આપ્યું નથી. અગાઉ બુધવારે લોકસભામાં નિર્મલા સીતારમણના નિવેદન પહેલા એનસીપી સાંસદ સુપ્રિયા સુલેએ ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
#WATCH "I am a vegetarian. I have never tasted an onion. So, how will a person like me know about the situation (market prices) of onions," says Union Minister Ashwini Choubey pic.twitter.com/cubekfUrYW
— ANI (@ANI) December 5, 2019
જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે કહ્યું હતું કે 'હું ડુંગળી-લસણ વધુ નથી ખાટી, એટલે ચિંતા ના કરો. હું એવા પરિવારથી આવું છં જેને ડુંગળીની કંઈ ચિંતા નથી.' નાણામંત્રીના આ નિવેદન બાદ સંસદમાં મોટાભાગના સાંસદો હંસવા લાગ્યા હતા. નાણામંત્રીએ કહ્યું કે ડુંગળીના ભંડારણ સાથે કેટલાક માળખાગત મુદ્દા જોડાયેલા છે અને સરકાર તેનો નિપટારો કરવા માટે પગલાં ભરી રહી છે. તેમણે કહ્યું કે વાવેતરમાં કમી આવી છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે પરંતુ સરકાર ઉત્પાદનને પ્રોત્સાહિત કરવા માટે પગલાં ઉઠાવી રહી છે.
લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસના સુદીપ બંદોપાધ્યાયે દેશમાં ડુંગળીની વધતી કિંમતોનો મુદ્દો ઉઠાવ્યો અને કેન્દ્ર સરકારને ઉકેલ આપ્યો કે તેઓ કાળાબજારીઓ પર લગામ લગાવવા માટે રાજ્યને પરામર્શ ઈસ્યૂ કરે. અગાઉ કોંગ્રેસે સંસદ પરિસરમાં ડુંગળીની કિંમતોને લઈ પ્રદર્શન કર્યું. પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી. ચિદમ્બરમ પણ આ પ્રદર્શનમાં સામેલ થયા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
