મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીની પસંદગીનો પહેલો તબક્કો પૂરો
મિશન ગગનયાન માટે અંતરિક્ષ યાત્રીની પસંદગીનો પહેલો તબક્કો પૂરો
નવી દિલ્હીઃ મિશન ગગનયાન માટે ભારતીય અંતરિક્ષ યાત્રીઓની પસંદગીનો પહેલો તબક્કો ઈન્સ્ટીટ્યૂટ ઑફ એરોસ્પેસ મેડિસિનમાં પૂર્ણ થઈ ગયો છે. વાયુસેનાએ શુક્રવારે કહ્યું કે સિલેક્ટેડ પાયલટોને વ્યાપક સારીરિક વ્યાયામ પરીક્ષણો, પ્રયોગશાળા તપાસ, ક્લીનિકલ તપાસ, રેડિયોલોજિકલ ટેસ્ટ અને મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનમાંથી પસાર થવું પડ્યું. મિશન ગગનયાનનો ઉદ્દેશ્ય 2022 સુધી ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) દ્વારા એક ભારતીય ચાલક દળ સાથે અંતરિક્ષ યાનને લૉન્ચ કરવાનું છે. ઈસરોના ચેરમેન કે. સિવને કહ્યું કે આપેલી સમય સીમામાં મિશન પૂરું કરવા ઈસરો સક્ષમ છે.
ગગનયાન પરિયોજના 10,000 કરોડ રૂપિયાની છે. ગગનયાન ભારતના પહેલા માનવ અંતરિક્ષયાન કાર્યક્રમ છે. જેની ઘોષણા ગત વર્ષે સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીએ કરી હતી. જેમાં ત્રણ સભ્યોના ચાલક દળને સાત દિવસ સુધી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. અંતરિક્ષ યાનને પૃથ્વીની નિચલી કક્ષામાં રાખવામાં આવશે. જણાવી ધઈએ કે ચંદ્રયાન 2ને લેન્ડર વિક્રમ શનિવારે સવારે ચાંદી સપાટી પર ઐતિહાસિક સૉફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે અને આ પળ ઈસરોના વૈજ્ઞાનિકો માટે હ્રદયના ધબકારા વધારી દે તેવો હશે.
#MissionGaganyaan -IAF completed Level-1 of Indian Astronaut selection at Institute of Aerospace Medicine. Selected Test Pilots underwent extensive physical exercise tests, lab investigations, radiological tests, clinical tests & evaluation on various facets of their psychology. pic.twitter.com/O3QYWJYlQd
— Indian Air Force (@IAF_MCC) September 6, 2019
Chandrayaan 2 લેન્ડ થતાંની સાથે જ તમિલનાડુના આ બે ગામ રચશે અનોખો ઈતિહાસ