Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય વાયુસેના ખરીદશે 12 હેલીકોપ્ટર

iaf
નવીદિલ્હી, 14 ઑક્ટોબરઃસિયાચિન ગ્લેશિયરમાં તૈનાત સૈનિક શ્રેષ્ઠ સંસાધનોની આશા કરી શકે છે, કારણ કે ભારતીય વાયુસેના ત્યાં તૈનાત માટે 12 નવા હેલીકોપ્ટર ખરીદવા પર વિચાર કરી રહ્યું છે. ભારતીય વાયુસેનાના અધિકારીઓએ જણાવ્યું, વાયુસેનાએ 12 ચીતલ હેલીકોપ્ટર ખરીદવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ(એચએએલ)ને આગ્રહ પ્રસ્તાવ મોકલ્યો છે. આ હેલીકોપ્ટર્સનો ઉપયોગ ઉત્તરીય સીમાઓ પર વધું ઉંચાઇવાળા ક્ષેત્રોમાં અભિયાનો માટે કરવામાં આવશે. ચીતલ હેલીકોપ્ટર ચીતા હેલીકોપ્ટર્સના ઉન્નત રૂપ છે, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિેટેડ(એચએએલ) દ્વારા નિર્મિત અધીક શક્તિશાળી એન્જીન લાગેલું છે.

અધિકારીઓએ જણાવ્યું કે વાયુસેના પાસે લેહ અને જમ્મૂ કાશ્મીરના થોઇસેમાં તૈનાત ચીતા-ચેતક હેલીકોપ્ટર્સની પોતાની કેટલીકસ્ક્વાડ્રન છે. આ હેલીકોપ્ટર વિશ્વના સૌથી ઉંચા યુદ્ધ સ્થળ પર તેનાત સેનાના જવાનોમાં હવાઇ રસદ પહોંચાડે છે. તેમણે કહ્યું કે ચીતલ હેલીકોપ્ટર એ માટે ખરીદવામાં આવે છે કારણ કે નવી લાઇઠ યુટિલિટી હેલીકોપ્ટર(એલયુએચ) હાંસલ કરવામાં વિંલબ થઇ રહ્યું છે.

આ વિલંબ હાલમાં ખરીદ પ્રક્રિયાઓને રદ કરવાના કારણે થયું છે. એલયુએચના હેલીકોપ્ટરને વાયસેના અને થલસેનાના ચીતા-ચેતક હેલીકોપ્ટરના સ્થાને તૈનાત કરવાના હતા. રક્ષા મંત્રાલયે 197 એલયુએચ ખરીદી રહ્યું છે. જેમાંના 133 થલસેનાને આપવામાં આવશે જ્યારે બાકીના વાયુસેનાના આપવામાં આવશે.

નૌસેનાએ પણ 56 હેલીકોપ્ટર ખરીદવાની અરજી કરી છે. જે તેના વિંટેજ હેલીકોપ્ટર ચીતા અને ચેતકનું સ્થાન લેશે. આધુનિકરણની પ્રક્રિયામાંથી પસાર થઇ રહેલા ભારતીય સશસ્ત્ર બળોમાં આગામી પાંચથી દસ વર્ષોમાં વિભિન્ન જરૂરિયાતો માટે એક હજારથી વધારે હેલીકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X