IB, RAW પુરતા છે; NCTCની જરૂર નથી : પૂર્વ RAW વડા

રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રૉ)ના પૂર્વ વિશેષ સચિવ અંબર સેને શનિવારે પણજીમાં યોજાયેલા એક જાહેર કાર્યક્રમમાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "જો ઇન્ટેલિજન્સ બ્યુરો (આઇબી) અને રૉમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તો આ બે સંસ્થાઓ આતંકવાદ સામેની લડાઇને આસાનીથી લડી શકે એવી ક્ષમતા ધરાવે છે."
તેમણે જણાવ્યું કે "જ્યારે તમારી પાસે 40-50 વર્ષ જુની સંસ્થાઓ છે તો શા માટે નવી એજન્સી શરૂ કરવી જોઇએ?" નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના પૂર્વ સ્ટેટેજીક ઇન્ટેલિજન્સ એડવાઇઝર રહી ચૂકેલા અંબર સેન કેન્દ્ર સરકારને સુરક્ષા મુદ્દે સલાહ આપતા રહે છે. તેમણે જણાવ્યું કે "વર્તમાન સમયમાં આઇબીમાં અંદાજે 20,000 લોકોની ભરતી કરવાની જરૂર છે. જ્યાપે રૉમાં 3000 પદો ખાલી છે. જો આ બંને એજન્સીઓમાં પૂરતા લોકોની ભરતી કરવામાં આવે તો તે ધારણા કરતા વધારે સારું કામ કરી શકે એમ છે."
તેમણે જણાવ્યું કે કોઇ પણ એજન્સી માટે નવી ભરતી કરવી એ ખૂબજ લાંબી અને ખણો સમય લઇ લેતી પ્રક્રિયા છે. આ કારણ એનસીટીસી જેવી નવી એજન્સી સ્થાપીને તેના માટે લોકોની ભરતી કરવાને બદલે આઇબી અને રૉની ખાલી જગ્યાઓ ભરવી જોઇએ અને તેને આતંકવાદને રોકવા માટે જરૂરી સત્તાઓ અને સ્વતંત્રતા આપવી જોઇએ.
કેન્દ્ર સરકારે 26/11ના મુંબઇ હુમલા બાદ એનસીટીસીની રતના કરવાનો નિર્ણય લીધો હતો. આ એક એવી સંસ્થા હશે જે તમામ પ્રકારના આતંકવાદને રોકવામાં સહાયક બનશે. આ યોજના પ્રથમ દિવસથી જ વિવાદમાં રહી છે કારણ કે કોંગ્રેસની સરકાર ના હોય તેવા રાજ્યોએ રજૂઆત કરી હતી કે આવી એજન્સી રાજ્ય સરકારના મુદ્દાઓમાં દરમિયાનગીરી કરતી ના હોવી જોઇએ.
-
Rajya Sabha Election 2026: 10 રાજ્યોની 37 રાજ્યસભા બેઠકો માટે મતદાન, જાણો પરિણામો ક્યારે? -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં -
સુરત એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી, બેંગકોકની ફ્લાઇટમાંથી 1.5 કરોડનો ગાંજો ઝડપાયો -
ઓડિશાના કટકમાં હોસ્પિટલમાં આગ, 10 લોકોના મોત થતા હંગામો -
Oscars 2026 : 'વન બેટલ આફ્ટર અનધર'નો દબદબો, જુઓ વિજેતાઓની યાદી -
વડોદરામાં ગરમીનો કહેર, બપોરે 12 થી 4 ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે -
યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાત સરકાર એક્શનમાં, સમિતિએ ભલામણો સોંપી -
Silver price today: ચાંદી 4,219 રૂપિયા મોંઘી થઈ, રોકાણકારો માટે મોટા સમાચાર -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
IPL 2026: ઓરેન્જ કેપ માટે આ 5 વિસ્ફોટક બેટ્સમેનો વચ્ચે જામશે જંગ -
યુદ્ધની સ્થિતિ વચ્ચે IIM-Aનો મોટો નિર્ણય: દુબઈના MBA વિદ્યાર્થીઓ અમદાવાદ કેમ્પસમાં ભણશે







Click it and Unblock the Notifications
