મોદી સત્તામાં આવ્યા તો થશે રમખાણ: અમરિંદર સિંહ
નવી દિલ્હી, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના ઉમેદવાર અમરિંદર સિંહે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો છે. અમરિંદર સિંહે જણાવ્યું કે મોદી નરસંહાર માટે જવાબદાર છે. અમરિંદર અનુસાર મોદી જો સત્તામાં આવ્યા તો 6 મહીનાની અંદર રમખાણ થશે.
અમરિંદર સિંહે જણાવ્યું કે દેશમાં ક્યાંય પણ મોદીની લહેર નથી. અને પંજાબમાં મોદીને કોઇ જાણતું પણ નથી. અમરિંદર સિંહ અમૃતસરથી ચૂંટણી લડી રહ્યા છે અને તેમની સામે ભાજપના ઉમેદવાર અરૂણ જેટલી છે. બંને નેતાઓની વચ્ચે વાકયુદ્ધ પણ સતત ચાલુ છે. વાકયુદ્ધ ત્યારે વધી ગયું જ્યારે ભાજપે કોંગ્રેસના નેતા દ્વારા 1984ના શીખ વિરોધી રમખાણ મામલામાં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપવા પર સવાલ ઉઠાવ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે અમરિંદરે આ પહેલા જણાવ્યું હતું કે 'મે રમખાણગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી છે મને કોઇએ જગદીશ ટાઇટલરનું નામ આપ્યું નથી. બાદમાં વિપક્ષના નેતા અરુણ જેટલી દ્વારા તેમના આ નિવેદન પર પ્રહાર કરવામાં આવતા અમરિંદરે ફેરવી તોડતા મીડિયાને જણાવ્યું હતું કે મેં જગદીશ ટાઇટલરને ક્લીન ચિટ આપી જ નથી.'
-
Artemis II Splash Down: નાસાના અવકાશયાત્રીઓ સુરક્ષિત રીતે પૃથ્વી પર પાછા ફર્યા -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
