તેલંગણામાં પણ 10 દિવસનું સંપૂર્ણ લોકડાઉન, રાજ્ય મંત્રીમંડળે લીધો નિર્ણય
તેલંગણામાં બુધવારથી દસ દિવસનુ લોકડાઉન અમલમાં રહેશે. રાજ્યના પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, તા .12 મે બુધવારે સવારે 10 વા
તેલંગણામાં બુધવારથી દસ દિવસનુ લોકડાઉન અમલમાં રહેશે. રાજ્યના પ્રધાનમંડળની આજે મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંગળવારે કેબિનેટની બેઠક બાદ મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવાયું છે કે, તા .12 મે બુધવારે સવારે 10 વાગ્યાથી 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ દસ દિવસોમાં સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી તમામ પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે.
કોરોનાના વધતા જતા કેસો અને અન્ય રાજ્યોના લોકડાઉનને ધ્યાનમાં રાખીને ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી કે, મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેખર રાવ આ લોકડાઉન અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. આ દિવસે જ મંગળવારે તેલંગાણાના મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં મંત્રીમંડળની મહત્વપૂર્ણ બેઠકની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે કોરોનાના વધતા જતા કેસોને કારણે આવતીકાલથી 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવામાં આવશે. રાજ્યના પ્રધાનમંડળે પણ નિર્ણય લીધો છે કે કોવિડ રસી ખરીદવા માટે વૈશ્વિક ટેન્ડરો મંગાવવામાં આવશે.
દિલ્હી: માઉન્ટ કાર્મેલ સ્કુલે કેમ્પસમાં બનાવ્યુ 100 બેડનું કોવિડ સેન્ટર, આ પહેલ કરનાર પ્રથમ સ્કુલ
ગયા અઠવાડિયાની શરૂઆતમાં મુખ્ય પ્રધાન કેસીઆરએ રાજ્યમાં લોકડાઉન લાદવાની ના પાડી હતી. તેમણે કહ્યું કે આવા પગલાથી જીવન અટકશે અને તેનાથી અર્થવ્યવસ્થાને આંચકો લાગશે. તેલંગાણામાં અન્ય રાજ્યોના 30 લાખ કામદારો છે. લોકડાઉન તેમના જીવનને અસર કરશે. જો કે, મોટાભાગના રાજ્યોના લોકડાઉન લાગુ થયા બાદ હવે તેઓએ પણ લોકડાઉન લગાવવુ પડશે.