For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદી-યોગી કરશે મજન્ટા લાઇનનું ઉદ્ઘાટન, કેજરીવાલ રહેશે ગેરહાજર

ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર(નોયડા) સ્થિત બૉટેનિકલ ગાર્ડનથી દેશની રાજધાની દિલ્હી સ્થિત કાલકાજી સુધી મેટ્રોની મજન્ટા લાઇનનું ઉદ્ઘાટન સોમવારે થનાર છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના ગૌતમ બુદ્ધ નગર(નોયડા) સ્થિત બૉટેનિકલ ગાર્ડનથી દેશની રાજધાની દિલ્હી સ્થિત કાલકાજી સુધી મેટ્રોની મજન્ટા લાઇનનું ઉદ્ઘાટન સોમવારે થનાર છે. આ લાઇનનું ઉદ્ઘાટન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ કરનાર છે. જો કે, આ સમારોહમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને બોલાવવામાં નથી આવ્યા અને આ કારણે અનેક જાતની ચર્ચાઓ થઇ રહી છે. આ અંગે દિલ્હી સરકારને જ્યારે પૂછવામાં આવ્યું તો એમણે એક નિવેદનમાં કહ્યું કે, અમને આ કાર્યક્રમની કોઇ અધિકૃત સૂચના આપવામાં નથી આવી. અમારી પ્રથમ પ્રાથમિકતા યાત્રીઓ માટે સુરક્ષિત મેટ્રો અને ભાડાનો ઉચિત દર છે અને ઉદ્ઘાટનનું અમને કોઇ નિમંત્રણ નથી મળ્યું. આ સવાલ ડીએમઆરસી અને શહેરી વિકાસ મંત્રાયલને પૂછવો જોઇએ.

Uttarpradesh

યાત્રીઓ માટે અનેક સુવિધાઓ માટે આ લાઇન સીધા દિલ્હીથી કાલકાજીને નોયડા સાથે જોડશે. દિલ્હી મેટ્રોનો છઠ્ઠો ભાગ છે અને આનો ફાયદો એ છે કે, આને કારણે યાત્રાનો સમય ઓછો થાય છે અને રાષ્ટ્રીય રાજધાનીના વ્યસ્ત રસ્તાઓ પર યાતાયાતના દબાણને અલગ કરે છે. આ લાઇન પર બાકીનું કામ વર્ષ 2018 માર્ચ સુધીમાં પૂરું કરવામાં આવશે. આ લાઇન પર નવું સિગ્નલિંગ સિસ્ટમ લગાવવામાં આવશે. સંચાર આધારિત ટ્રેન નિયંત્રણ(સીબીટીસી)થી લેસ પહેલી લાઇન છે, જે પ્રતિક્ષાના સમયે બે મિનિટથી 90થી 100 સેકંડ સુધી કામ કરશે. શરૂઆતમાં આ ટ્રેનની ફ્રિક્વન્સી 5 મિનિટ 14 સેકન્ડ રહેશે. વર્તમાન સમયમાં આ લાઇન પર 10 ટ્રેનો ચાલશે.

English summary
Inauguration of magenta line of dmrc by pm narendra modi and up cm yogi adityanath
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X