મોદી માટે અમેરિકા સાથે બાથ ભીડી ભારત સરકારે
નવી દિલ્હી, 23 ડિસેમ્બરઃ ભારત અને અમેરિકાના સંબંધોમાં હાલ દરારો વધી રહી છે. પહેલા રાજદ્વારી દેવયાની ખેબરાગડે અને હવે ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના કારણે ભાજપ અને અમેરિકાના સંબંધો બગડી રહ્યાં છે. દેવયાની રાજદ્વારી છે. તેમની સાથે ગેરવર્તણૂક થઇ તો ભારતે તેનો આકરો વિરોધ નોંધાવ્યો, પરંતુ હવે નરેન્દ્ર મોદી માટે પણ ભારત અમેરિકા સાથે બાથ ભિડવા તૈયાર છે. ખાસ વાત એ છે કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ અને યુપીએ સરકારના સૌથી મોટા ટીકાકાર છે. તેમ છતાં ભારત સરકાર મોદી માટે અમેરિકા સાથે ટકરાવવા તૈયાર થઇ ગઇ છે.

દેવયાની મામલે પહેલાથી બન્ને દેશોમાં નારાજગી હતી હવે મોદીની રેલીએ પોતાના દૂતાવાસની સુરક્ષા પર અમેરિકાની નિવેદનબાજીએ મામલાને વધુ ગંભીર બનાવી દીધી છે. અમેરિકન પ્રશાસને મુદ્દો ઉઠાવ્યો હતો કે મોદીની રવિવારે થયેલી રેલીમાં ભાગ લેવા આવેલા લોકોથી તેમના વાણિજ્ય દૂતાવાસને ખતરો હોઇ શકે છે.
નોંધનીય છે કે, મોદીની રેલી બાંદ્રામાં પડતા એમએમઆરડીએ મેદાનમાં થઇ હતી અને આ જ વિસ્તારમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસ છે. અમેરિકાએ નિવેદનોને ખારીજ કરતા ભારતે કહ્યું કે, દેશના એક રાજકીય દળની રેલી પર પ્રશ્ન ખડા કરવા અમને સ્વિકાર નથી. નોંધનીય છે કે, ભાજપે આ રેલીમાં પહેલા અમેરિકન રાજદૂત નેન્સી પોવેલને પણ આમંત્રણ મોકલ્યું હતુ, પરંતુ દેવયાની મામલાના કારણે નિમંત્રણ પરત લઇ લીધું હતું.












Click it and Unblock the Notifications
