કફ સિરપથી બાળકોના મોત મુદ્દે ભારતે WHO પાસેથી તપાસ રિપોર્ટ માંગ્યો!
હરિયાણાની ફાર્માસ્યુટિકલ કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના 4 કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનો જથ્થો મળી આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેડિકલ એલર્ટ જાહેર કર્યું છે.
નવી દિલ્હી : હરિયાણાની ફાર્માસ્યુટિકલ કંપની મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડના 4 કફ સિરપમાં ડાયથિલિન ગ્લાયકોલ અને ઇથિલિન ગ્લાયકોલનો જથ્થો મળી આવ્યા બાદ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેડિકલ એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ રાજ્ય નિયમનકારી અધિકારીએ ફાર્માસ્યુટિકલ કંપની પાસેથી શરદી અને ઉધરસની સિપરના નમૂનાઓ એકત્રિત કર્યા છે, જેને પરીક્ષણ માટે કોલકાતાની સેન્ટ્રલ ડ્રાલ લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. હવે સમાચાર આવી રહ્યા છે કે, ભારતે WHO પાસે કેસ સાથે સંબંધિત 23 સેમ્પલ અને તપાસની વિગતો શેર કરવાની માંગ કરી છે.
WHO એ ભારતમાં મેઇડન ફાર્માસ્યુટિકલ્સ દ્વારા બનાવવામાં આવતી ચાર ભારતમાં નિર્મિત કફ સિરપ પર ચેતવણી જારી કરી છે. ડબ્લ્યુએચઓએ કહ્યું કે ગામ્બિયામાં 66 બાળકોના મૃત્યુ માટે એક જ ખાંસી અને શરદીનું સિરપ જવાબદાર હોઈ શકે છે. મેઇડન ફાર્માસ્યુટિકલ્સની દવાઓ અંગે હરિયાણાના સ્વાસ્થ્ય મંત્રી અનિલ વિજે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના અધિકારીઓ સંપૂર્ણ માહિતી એકત્ર કરી રહ્યા છે. સેમ્પલ કોલકાતાની સેન્ટ્રલ ડ્રગ લેબમાં મોકલવામાં આવશે. રિપોર્ટ આવ્યા બાદ જો કંઇ ખોટું જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.
બીજી તરફ ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ્સે પણ તૈયારી કરી લીધી છે. સંસ્થાએ કહ્યું કે, મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડની દવાઓ સંબંધિત દરેક માર્ગદર્શિકાનું ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ દ્વારા સંપૂર્ણ રીતે પાલન કરવામાં આવશે. જો કે, AIOCDએ જણાવ્યું હતું કે મેઇડન ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ ભારતમાં કોઈપણ દવાઓની સપ્લાય કરતું નથી. તે ફક્ત તેના ઉત્પાદનોની નિકાસ કરે છે.