India-China Stand off: ગલવાનમાં કેમ થઇ હતી અથડામણ, પૂર્વ સેના પ્રમુખે જણાવી હકીકત
અરુણાચલ પ્રદેશના ગલવાનમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. રિપોર્ટ અનુસાર, જ્યાં આ અથડામણ થઈ હતી તેની ઉંચાઈ 1700 ફૂટ હતી. તે જ સમયે, હવે આ સમગ્ર મામલે પૂ
અરુણાચલ પ્રદેશના ગલવાનમાં 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયા હતા. રિપોર્ટ અનુસાર, જ્યાં આ અથડામણ થઈ હતી તેની ઉંચાઈ 1700 ફૂટ હતી. તે જ સમયે, હવે આ સમગ્ર મામલે પૂર્વ સેના પ્રમુખ જનરલ એમએમ નરવણેનું નિવેદન આવ્યું છે.
પૂર્વ સેના પ્રમુખે કહ્યું કે અમે હંમેશા પીપી 15 સુધી પેટ્રોલિંગ કરતા હતા, પરંતુ ચીની સૈનિકો અમને પેટ્રોલિંગ પોઈન્ટ પર જતા રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય હતું. અમને આવતા અટકાવવા તેઓએ એક નાનકડી પોસ્ટ ઊભી કરી હતી, જેનો અમે સખત વિરોધ કર્યો હતો.
આમ છતાં તે મક્કમ રહ્યા કે અમે પાછા નહીં જઈએ. આના પર અમારી સેનાએ વધુ અવાજમાં વિરોધ કર્યો. જે પછી ચીની સૈનિકો અને સંખ્યા બળ સાથે આવે છે. આ બાબતે પીપી 15માં મારામારી થઈ હતી. જોકે અમારી સેના તેમને પાછા મોકલવા માટે પૂરતી હતી. તમને જણાવી દઈએ કે 9 ડિસેમ્બરે ગલવાનમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ સમગ્ર મામલાને લઈને વિપક્ષ કેન્દ્ર સરકાર પર આક્રમક બન્યો હતો.
We've been always patrolling up to PP15,but they were trying to stop us from going to our traditional patrolling point.That was unacceptable. To stop us from coming, they'd established small outpost&we objected very vehemently: Ex-Army chief Gen MM Naravane (retd) on Galwan clash pic.twitter.com/P2uyMea7Dm
— ANI (@ANI) December 14, 2022
ભારત અને ચીન વચ્ચેની અથડામણને લઈને વિપક્ષ તરફથી મોદી સરકાર પાસેથી જવાબ માંગવામાં આવ્યો હતો. કોંગ્રેસે લોકસભાના શિયાળુ સત્રમાં પણ આ સમગ્ર મામલો ઉઠાવ્યો હતો. આ મામલાના જવાબમાં સરકાર તરફથી કહેવામાં આવ્યું હતું કે અથડામણ થઈ છે, પરંતુ ભારતીય સેના તરફથી ચીની સૈનિકોને જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. આ સાથે સરકાર તરફથી એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતીય જમીન પર ચીનનો કોઈ કબજો નથી.
આ પહેલા અથડામણના દિવસે કોંગ્રેસ નેતા પવન ખેડાએ પણ ભારત-ચીન સરહદ વિવાદને લઈને કેન્દ્રની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પેન્ટાગોન રિપોર્ટનો દાવો કરતા તેમણે કહ્યું હતું કે ચીન તરફથી સરહદ પર એક ગામ બનાવવામાં આવ્યું છે. પરંતુ મોદી સરકાર પોતાની વિશ્વસનીયતા બચાવવા માટે આ સમગ્ર મામલે દેશની જનતાને જવાબ આપી રહી નથી. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે મોદી સરકાર પોતાની પ્રતિષ્ઠા બચાવવા માટે સેનાની બહાદુરીનું અપમાન કરી રહી છે.