India Corona Update : છેલ્લા 24 કલાકમાં 24 ટકાના વધારા સાથે 23,529 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
બુધવારના રોજ આ આંકડો 18,870 હતો. આજના આંકડા ઉમેર્યા બાદ હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,739,980 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં 311 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક બુધવાર કરતા ઓછો છે.
India Corona Update : 30 સપ્ટેમ્બર, 2021ના રોજ એટલેકેગુરુવારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા કોરોનાના પોઝિટિવ કેસમાં 24.7 ટકાનો વધારો નોંધાયો છે. આજે સવારે આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23,000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 23,529 પોઝિટિવ કેસ નોંધાયા છે.
બુધવારના રોજ આ આંકડો 18,870 હતો. આજના આંકડા ઉમેર્યા બાદ હવે દેશમાં કોરોના સંક્રમણના કુલ કેસની સંખ્યા વધીને 33,739,980 થઈ ગઈ છે. છેલ્લા એક દિવસમાં 311 લોકોના મોત થયા છે. મૃત્યુઆંક બુધવાર કરતા ઓછો છે. બુધવારના રોજ જાહેર કરવામાં આવેલા આંકડામાં આ મૃત્યુઆંક તેના છેલ્લા એક દિવસમાં 378 હતો. આ સાથે દેશમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં કુલ 4,48,062 દર્દીઓના મોત થયા છે.
કોરોનાના આજના આંકડા
દેશમાં છેલ્લા 24 કલાકમાં 23,529 નવા કેસ નોંધાયા છે. સક્રિય કેસ સંક્રમણના કુલ કેસના 1 ટકા કરતા પણ ઓછા છે. સક્રિય કેસનો દર હાલમાં 0.82 ટકા છે, જે માર્ચ 2020ના સ્તરથી ઘણો નીચે છે. કુલ સક્રિય કેસ હાલમાં 2,77,020 છે, જે 195 દિવસમાં સૌથી ઓછા છે. દેશનો રિકવરી રેટ હાલમાં 97.85 ટકા છે, જે માર્ચ 2020થી સ્તરથી ઉપર છે.
છેલ્લા 24 કલાકમાં 28,718 લોકો કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 3,30,14,898 લોકો કોરોના મુક્ત થયા છે. વીકલી પોઝિટિવિટી રેટ 1.74 ટકા છે. છેલ્લા 97 દિવસથી વીકલી પોઝિટિવિટી રેટ 3 ટકાથી નીચે રહ્યો છે. ડેઇલી પોઝિટિવિટી રેટ 1.56 ટકા છે. છેલ્લા 31 દિવસથી ડેઇલી પોઝિટિવિટી દર 3 ટકાથી નીચે રહ્યો છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની રસીના 65,34,306 ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 88.34 કરોડ રસી ડોઝ આપવામાં આવી છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં કુલ 56.89 કરોડ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
Gujarat Corona Update : રાજ્યમાં સક્રિય કોવિડ કેસ 150ને પાર
છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેથી બુધવારના રોજ રાજ્યમાં સક્રિય કેસમાં 8નો વધારો થયો હતો. હાલ રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 156 પર પહોંચી છે. રાજ્યમાં ત્રણ દિવસ બાદ સક્રિય કેસનો આંકડો 150ને પાર થયો છે. આ સાથે રાજ્યમાં 20 કે તેથી વધુ કેસ નોંધાયા હોય તેવો આ સતત ચોથો દિવસ છે.