દોષિયો સામે કાર્યવાહી કરે પાકિસ્તાન: સલમાન ખુર્શીદ

ઘટના પર પોતાનું દુ:ખ જાહેર કરતા સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે આ ગંભીર ચિંતાની વાત છે. તેમણે જણાવ્યું કે ભારતને પાકિસ્તાન તરફથી આવી હરકતો મંજૂર નથી. અને આવી ઘટનાઓ સાખી લેવામાં નહી આવે.
સમલમાન ખુર્શીદે પાકિસ્તાન પાસે આ ઘટનાની તપાસની માંગ કરતા જણાવ્યું કે દોષિયોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે આખી ઘટનાક્રમ પર પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે. ખુર્શીદે જણાવ્યું કે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી સામે વિરોધ દર્શાવ્યો છે. જોકે ભારતે આ અંગે પાકિસ્તાન સામે લેખિતમાં પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મૂ-કાશ્મીરમાં પૂંછના મેંઢર વિસ્તારમાં ધુમ્મસની આડમાં પાકિસ્તાનના 29 બલૂચ રેજીમેન્ટના સૈનિક ઘુસણખોરી કરવાની કોશિસ કરી રહ્યા હતા. સીમા પર પેટ્રોલીંગ કરી રહેલી ભારતીય સેનાની ટૂકડીએ તેમને રોકવાની કોશીશ કરી તો, પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારી શરૂ કરી દીધી. એલઓસી પર સીઝફાયરનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિક ભારતીય સીમામાં ઘુસી આવ્યા. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા લાંસ નાયક હેમરાજ અને સુધાકરસિંહ શહીદ થયા હતા.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
