દોષિયો સામે કાર્યવાહી કરે પાકિસ્તાન: સલમાન ખુર્શીદ

ઘટના પર પોતાનું દુ:ખ જાહેર કરતા સલમાન ખુર્શીદે પ્રેસ કોન્ફ્રેન્સમાં જણાવ્યું કે આ ગંભીર ચિંતાની વાત છે. તેમણે જણાવ્યું કે ભારતને પાકિસ્તાન તરફથી આવી હરકતો મંજૂર નથી. અને આવી ઘટનાઓ સાખી લેવામાં નહી આવે.
સમલમાન ખુર્શીદે પાકિસ્તાન પાસે આ ઘટનાની તપાસની માંગ કરતા જણાવ્યું કે દોષિયોની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. તેમણે આખી ઘટનાક્રમ પર પાકિસ્તાન પાસે જવાબ માંગ્યો છે. ખુર્શીદે જણાવ્યું કે પાકિસ્તાનના ઉચ્ચ અધિકારી સામે વિરોધ દર્શાવ્યો છે. જોકે ભારતે આ અંગે પાકિસ્તાન સામે લેખિતમાં પોતાનો વિરોધ નોંધાવી ચૂક્યું છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે જમ્મૂ-કાશ્મીરમાં પૂંછના મેંઢર વિસ્તારમાં ધુમ્મસની આડમાં પાકિસ્તાનના 29 બલૂચ રેજીમેન્ટના સૈનિક ઘુસણખોરી કરવાની કોશિસ કરી રહ્યા હતા. સીમા પર પેટ્રોલીંગ કરી રહેલી ભારતીય સેનાની ટૂકડીએ તેમને રોકવાની કોશીશ કરી તો, પાકિસ્તાની સૈનિકોએ ગોળીબારી શરૂ કરી દીધી. એલઓસી પર સીઝફાયરનો ભંગ કરતા પાકિસ્તાની સૈનિક ભારતીય સીમામાં ઘુસી આવ્યા. પાકિસ્તાની સૈનિકો સાથે લડતા લાંસ નાયક હેમરાજ અને સુધાકરસિંહ શહીદ થયા હતા.












Click it and Unblock the Notifications
