સેના પ્રમુખ જનરલ રાવતે કહ્યુ, ‘લદ્દાખમાં ચીને નહોતી કરી કોઈ ઘૂસણખોરી'
ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે લદ્દાખમાં ચીની સેનાની ઘૂસણખોરીથી ઈનકાર કરી દીધો છે.
ઈન્ડિયન આર્મી ચીફ જનરલ બિપિન રાવતે લદ્દાખમાં ચીની સેનાની ઘૂસણખોરીથી ઈનકાર કરી દીધો છે. ગુરુવારે એવા સમાચાર આવ્યા હતા કે ચીની સેના લાઈન ઑફ એક્સ્યુઅલ કંટ્રોલ (એનએસી) પાર કરીને લદ્દાથના ડેમચોક સેક્ટરન સુધી આવી ગઈ હતી. ઘટના ગયા સપ્તાબની બતાવવામાં આવી રહી છે. જ્યારે દલાઈ લામાની બર્થ઼ે પર અમુક તિબટી નાગરિકોએ તિબેટનો ઝંડો ફરકાવ્યો હતો.
ગયા અઠવાડિયાની ઘટના
સેના પ્રમુખે શનિવારે એક કાર્યક્રમથી અલગ આ મુદ્દા પર નિવેદન આપ્યુ. તેમણે કહ્યુ, 'કોઈ પણ ઘૂસણખોરી નથી થઈ. ચીની સેના સાથે આપણા ઘમા પ્રોફેશનલ સંબંધ છે.' તેમણે કહ્યુ કે ભારત તરફ અમુક તિબેટી નાગરિકોએ ડેમચોક સેક્ટરમાં ઉત્સવ મનાવ્યો હતો. ત્યારબાદ અમુક ચીની એ જાણવા આવ્યા હતા કે શું થઈ રહ્યુ છે. પરંતુ કોઈ ઘૂસણખોરી નહોતી થઈ. બધુ સામાન્ય છે. તેમણે કહ્યુ કે જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ આવે તો સાથે ચીની જવાન હોય છે. અહીં સુધી કે સેના અને આઈટીબીપી પણ આપણા લોકોને લઈને બોર્ડર એરિયામાં જાય છે જો તે કંઈ જોવા માંગતો હોય તો.
ગયા સપ્તાહે તિબેટી નાગરિકો તરફથી ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અમુક ચીની નાગરિક અસૈન્ય કપડામાં લદ્દાખમાં એલએસી નજીક આવી ગયા હતા. ચીન તરફથી ઈસ્ટર્ન લદ્દાખમાં દલાઈ લામાના બર્થડે પ્રસંગે પ્રદર્શત કરેલ બેનર્સો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આ બેનર્સ પર લખ્યુ હતુ, 'તિબેટને તોડનારી દરેક ગતિવિધિ પર પ્રતિબંધ લાગે.'
Army Chief Gen Bipin Rawat on 'Chinese troop movements in Demchok': There has been no intrusion. Chinese come & patrol their perceived line of actual control, which we try & prevent them. We try & attempt to reach out to our line of actual control which has been given to us. pic.twitter.com/9ATFHCQzhK
— ANI (@ANI) 13 July 2019
આ પણ વાંચોઃ મીરા રાજપૂતે શેર કર્યો દીકરાનો શાનદાર ફોટો, જોવા મળ્યો Cute અંદાજ, જુઓ Pics