Video: ભારતીય સેનાએ હેમરાજ અને સુધાકરની મોતનો લીધો બદલો

નવી દિલ્હી, 15 જુલાઇ: જમ્મુ અને કાશ્મીરના મેઢરથી લાગેલી સીમા પર સેનાના જવાનોએ એન્કાઉન્ટરમાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. આ એ જ આતંકી છે જેણે પાકિસ્તાન રેંજર્સની સાથે મળીને આપણા જવાન હેમરાજ અને સુધાકરનું માથુ વાઢી નાખ્યું હતું. માર્યા ગયેલ આતંકીનું નામ અનવર બતાવવામાં આવી રહ્યું છે અને તે પાકિસ્તાનના હજીરા ગામનો રહેનારો હતો. સેનાએ તેને ત્યારે ઠાર માર્યો જ્યારે તે ભારતીય સરહદમાં ઘુસવાની કોશીશ કરી રહ્યો હતો.

indian army
સેનાએ ઘટનાસ્થળની પાસેથી ભારે માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે રવિવારે મોડી રાત્રે હેલ્મેટ પોસ્ટની પાસે ચારથી પાંચ આતંકવાદીઓએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યો. સેનાએ નાઇટ વિઝન ડિવાઇસથી તેની પુષ્ટી કરી. આતંકીઓએ જવાનો પર અંધાધુંધ ગોળીબાર કર્યો. જવાનોએ પણ જવાબી ફાયરિંગ કર્યું જેમાં એક આતંકી ઠાર મરાયો જ્યારે બાકીના પાછા પાકિસ્તાન ભાગવામાં સફળ રહ્યા.

આપને જણાવીએ કે 8 જાન્યુઆરી 2013માં બે ભારતીય જવાનો હેમરાજ અને સુધાકરની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. તે દિવસે સીમાપારથી પાકિસ્તાની રેંજર્સની સાથે આવેલા આતંકવાદી હેમરાજ અને સુધાકરણ સિંહનું માથુ કાપીને પોતાની સાથે લઇ ગયા હતા. યુપીના મથુરાના રહેનારા 38 વર્ષના હેમરાજ આર્મીની રાજપૂતાના રાઇફલ્સમાં લાંસ નાયક તરીકે ડ્યુટી પર હતા. જ્યારે સુધાકર મધ્ય પ્રદેશના રહેનારા હતા. આ જ ઘટના બાદ હેમરાજના હત્યારાઓને આર્મી શોધી રહી હતી.

જુઓ વીડિયો...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X