ઉઝબેકિસ્તાનમાં ભારતીય કફ સિરપથી મોત મુદ્દે ભારત સરકારનું મોટુ નિવેદન, જાણો શું કહ્યું?
કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે સંપર્કમાં છે.
નવી દિલ્હી : પહેલા ગામ્બિયા અને હવે ઉજબેકિસ્તાનમાં ભારતીય દવાથી બાળકોના મોતને લઈને મોટો વિવાદ થયો છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે દાવો કર્યો હતો કે ભારતીય કફ સિરપ પીધા બાદ બાળકોના મોત થયા છે. હવે આ મામલે ભારત સરકારની પ્રતિક્રિયા સામે આવી છે.

ભારતીય દવાના કારણે મોતને લઈને વિવાદ વધી રહ્યો છે ત્યારે કેન્દ્રિય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે સંપર્કમાં છે. તેમણે કહ્યું કે, દાવો કરવામાં આવી રહ્યો છે કે ઉઝબેકિસ્તાનમાં ડોક-1 મેક્સ સિરપ આપ્યા બાદ બાળકોના મોત થયા છે. ડોક-1 મેક્સ સીરપ ભારતમાં મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. આ કફ સિરપ છે.
તેમણે આગળ કહ્યું કે, દવાના નમૂના ચંદીગઢની પ્રાદેશિક દવા પરીક્ષણ પ્રયોગશાળામાં મોકલાયા છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, કફ સિરપ ઉત્તર પ્રદેશના નોયડામાં આવેલી ભારતીય બાયોટેક કંપની મેરિયન બાયોટેક દ્વારા બનાવવામાં આવે છે. CDSCO આ સંદર્ભમાં ઉઝબેકિસ્તાનના અહેવાલો અંગે 27 ડિસેમ્બરથી ઉઝબેકિસ્તાનના નેશનલ ડ્રગ રેગ્યુલેટર સાથે નિયમિત સંપર્કમાં છે.
મનસુખ માંડવિયાએ જણાવ્યુ કે, સીડીએસસીઓ અને યુપી ડ્રગ કંટ્રોલની એક-એક ટીમે મેરિયન બાયોટેકની નોઇડા સ્થિત સુવિધાનું સંયુક્ત નિરીક્ષણ કર્યું. અહીં દવાનું ઉત્પાદન થાય છે. કેન્દ્ર પાસેથી નિરીક્ષણ અહેવાલ મળ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
અહીં તમને જણાવી દઈએ કે, દક્ષિણ આફ્રિકાના દેશ ગામ્બિયામાં 4 કફ સિરપથી 66 બાળકોના મોત બાદ હવે ઉઝબેકિસ્તાનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા ઉત્પાદિત દવાઓનું સેવન કરવાથી દેશમાં 18 બાળકોના મોત થયા છે. ઉઝબેકિસ્તાનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું તું કે 21 બાળકોમાંથી 18 તીવ્ર શ્વાસોચ્છવાસની બિમારી સાથે હોસ્પિટલમાં દાખલ થયા હતા અને ડોક-1 મેક્સ સિરપ લીધા પછી મૃત્યુ પામ્યા હતા.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા





Click it and Unblock the Notifications
