હવે રેલવે સ્ટેશન પર મફતમાં મોબાઈલ રિચાર્જ થશે, બસ કરો આટલું કામ
હવે રેલવે સ્ટેશન પર મફતમાં મોબાઈલ રિચાર્જ થશે, બસ કરો આટલું કામ
નવી દિલ્હીઃ ટ્રેનમાં સફર કરતા યાત્રીઓ માટે ગુડ ન્યૂજ છે. જણાવી દઈએ કે ભારતીય રેલવે જલદી જ એક નવી સુવિધા શરૂ કરવા જઈ રહી છે. જે અંતર્ગત તમારે રેલવે સ્ટેશન પર બસ એક ખાસ કામ કરવું પડશે, જેનો ફાયદો એ થશે કે ભારતીય રેલવે તરફથી તમારો મોબાઈલ ફોન રિચાર્જ કરાવવામાં આવશે, તે પણ બિલકુલ મફતમાં. આખરે એવું તો શું છે જેના માટે રેલવવે તરફથી આ ઑફર આપવામાં આવી રહી છે, અહીં જાણો...

ભારતીય રેલવે તમારો ફોન રિચાર્જ કરશે
ભારતીય રેલવે તરફથી એવા રેલ યાત્રીઓનો મોબાઈલ ફોન રિચાર્જ કરવામાં આવશે જે રેલવે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરતા મશીનનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કર્યો છે. જણાવી દઈએ કે પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના સંબોધન દરમિયાન રા્ટ્રને એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિકની પાણીની બોટલનો વિકલ્પ શોધવાની અપીલ કરી હતી. પીએમ મોદીની આ પહેલને આગળ વધારવા માટે રેલવે તરફથી આ પગલું ભરવામાં આવ્યું છે.

પ્લાસ્ટિક બોટલ નષ્ટ કરનાર મશીનોનો ઉપયોગ કરો
ભારતીય રેલવે તરફથી જાહેર નિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બે ઑક્ટોબરથી રેલવે સ્ટેશનો અને તેના પરિસરમાં એકવાર પ્રયોગમાં લાવનાર પ્લાસ્ટિકનો ઉપયોગ નહિ થાય. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે, રેલવે સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલનો નષ્ટ કરનાર 400 મશીનો લગાવવામાં આવશે. જે કોઈપણ યાત્રી તેનો ઉપયોગ કરશે, તેનો મોબાઈલ ફોન રેલવે તરફથી રિચાર્જ કરાવવામાં આવશે. જેના માટે આ યાત્રીઓને પ્લાસ્ટિકની બોટલ નષ્ટ કરનાર મશીનનો ઉપયોગ કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર નોંધાવવાનો રહેશે. જવો જ યાત્રી મશીનનો ઉપયોગ કરતી વખતે પોતાનો મોબાઈલ નંબર દાખલ કરશે કે તેમનો મોબાઈલ ફોન રિચાર્જ થઈ જશે.

આવી રીતે ફ્રીમાં તમારો ફોન રિચાર્જ થશે
હાલ રિચાર્જનું વિવરણ ઉપલબ્ધ નથી. રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે કહ્યું કે વર્તમાનમાં 128 સ્ટેશનો પર પ્લાસ્ટિકની બોટલો નષ્ટ કરતા 160 મશીનો લગાવવામાં આવી છે. જેની સાથે જ રેલવેના કર્મચારીઓને સ્ટેશન પર ઉપયોગમાં આવતી પ્લાસ્ટિકની બોટલો જમા કરવા અને તેને રિસાઈકલ માટે મોકલવાના નિર્દેશ પણ આપ્યા છે.

પીએમ મોદીની અપીલ બાદ રેલવેની ખાસ પહેલ
એટલું જ નહિં અગાઉ રેલવે મંત્રાલય તરફથી પોતાના તમામ કર્મચારીઓને ખાસ નિર્દેશ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ ફરીથી ઉપયોગમાં આવતી બેગનો ઉપયોગ કરે. સાથે જ 2 ઓક્ટોબરે એકવાર ઉપયોગમાં આવતા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા સંકલ્પ પણ લેવડાવાવમાં આવશે.
-
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
અમદાવાદના ભદ્ર ફેરીયા બજાર મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું કોર્ટે? -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
અમદાવાદના મયુર ડાયકેમ સાથે જોડાયેલા સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા -
Weather News: યુપી-બિહાર સહિત 8 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Rupee vs Dollar: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની ભારત પર સીધી અસર! ડોલર સામે રૂપિયો ગગડ્યો, શું છે આજનો રેટ? -
ગુજરાતમાં આગામી 7 દિવસ કમોસમી વરસાદની આફત, ત્યારબાદ એપ્રિલમાં હીટવેવની આગાહી -
CSK IPL Schedule 2026: ચેન્નાઈ સુપર કિંગ્સનું શેડ્યૂલ, ફરી દેખાશે માહીનો જલવો, સેમસન પણ મચાવશે તબાહી?











Click it and Unblock the Notifications
