Big Update: રેલવેએ બદલ્યો નિર્ણય, 30 જૂન સુધીની બધી બુક ટિકિટો રદ
ભારતીય રેલવેએ લૉકડાઉન દરમિયાન પહેલા 15 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો.
ભારતીય રેલવેએ લૉકડાઉન દરમિયાન પહેલા 15 સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો. ત્યારબાદ બુધવારે રેલવે મેલ અને એક્સપ્રેસ ટ્રેનો ચલાવવાનો નિર્ણ કર્યો પરંતુ રેલવેએ એક વાર ફરીથી પોતાનો નિર્ણય બદલીને 30 જૂન અને તે પહેલાની યાત્રા માટે બુક કરાવેલ બધી ટિકિટો કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.
ભારતીય રેલવેએ મોટો નિર્ણય કરીને નિયમિત યાત્રી ટ્રેનોમાં 30 જૂન અથવા તે પહેલા યાત્રા માટે બુક કરાવેલ બધી ટિકિટોને રદ કરવાના નિર્દેશ આપ્યા છે. જો કે રેલવેએ સ્પષ્ટ કહ્યુ છે કે બધી શ્રમિક ટ્રેનો અને વિશેષ ટ્રેનોનુ સંચાલન ચાલુ રહેશે. ભારતીય રેલવેએ મોટો નિર્ણય કરીને 30 જૂન 2020 અને તેના પહેલા સુધીની બધી ટિકિટોને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
વળી, રેલવેએ કહ્યુ છે કે 30 જૂન 2020 સુધી બુક કરેલી બધી ટિકિટોને રિફંડ કરી દેવામાં આવી છે. રિફંડ માટે રેલવેએ પહેલેથી ગાઈડલાઈન્સ જારી કરી છે. તમને જણાવી દઈએ કે આ પહેલો મોક નથી જ્યારે ટ્રેન ટિકિટોનુ બુકિંગને રેલવે દ્વારા કેન્સલ કરવામાં આવ્યુ છે. આ પહેલા પણ રેલવેએ 17 મે સુધી ટ્રેનોની ટિકિટ કેન્સલ કર્યા હતા. તે પહેલા રેલવેએ 25 એપ્રિલ સુધી બુકિંગ રદ કરી હતી.
Indian Railways cancels all tickets booked to travel on or before June 30th, 2020. Refunds given to all tickets booked till 30th June 2020. All special trains and Shramik Special train to however ply as usual. pic.twitter.com/5Pgs09WB2t
— ANI (@ANI) May 14, 2020