Indus Water Treaty : પાકિસ્તાને પડ્યા પર પાટુ, ભારતે પાણી બંધ કરવા ફટકારી નોટિસ
Indus Water Treaty : ભારત પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ તોડી શકે છે. પાકિસ્તાનની ખોટી કાર્યવાહીને કારણે ભારત સરકારે પાડોશી દેશને આ સંધિમાં સુધારો કરવા નોટિસ પાઠવી છે.
Indus Water Treaty : ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 1960ની સિંધ જળ સંધિમાં સંશોધન માટે પાકિસ્તાનને નોટીસ ફટકારવામાં આવી છે. ભારત સરકારે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની તમામ ખોટી કાર્યવાહીએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકુળ પ્રભાવ પાડવામાં આવે છે. આ સાથે ભારત Indus Water Treaty ના સંશોધન માટે નોટિસ ફટકારવા માટે મજબૂર કરવામાં આવ્યા છે.
ભારતે નિભાવી જવાબદારી
સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની હરકતો પર સખત નારાજગી વ્યક્ત કરતી વખતે, ભારત સરકારે એમ પણ જણાવ્યું છે કે, ભારત પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને પત્ર અને ભાવનાથી લાગુ કરવામાં મક્કમ સમર્થક અને જવાબદાર ભાગીદાર છે, પરંતુ સામેના પક્ષે આવું થઇ રહ્યું નથી.
ઇન્ડસ કમિશનને નોટિસ
ભારત સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભારત દ્વારા પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના પ્રયાસો છતાં, પાકિસ્તાને 2017 થી 2022 દરમિયાન કાયમી સિંધુ કમિશનની 5 બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇન્કાર કર્યો છે. આવા કારણોસર હવે પાકિસ્તાનને નોટિસ આપવામાં આવી છે.
આ નોટિસનો હેતુ
આ નોટિસનો હેતુ પાકિસ્તાનને સિંધુ જળ સંધિના ઉલ્લંઘનને સુધારવા માટે 90 દિવસની અંદર આંતર-સરકારી વાટાઘાટોમાં પ્રવેશવાની તક પૂરી પાડવાનો છે. આ પ્રક્રિયા દ્વારા છેલ્લા 62 વર્ષમાં પરિસ્થિતિમાં થયેલા ફેરફારો અનુસાર સિંધુ જળ સંધિને પણ અપડેટ કરવામાં આવશે.
જાણો શું છે સિંધુ જળ સંધિ
સિંધુ જળ સંધિની જોગવાઈઓ હેઠળ, સતલજ, બિયાસ અને રાવીનું પાણી ભારતને આપવામાં આવ્યું છે અને સિંધુ, ઝેલમ અને ચિનાબનું પાણી પાકિસ્તાનને આપવામાં આવ્યું છે. ભારત અને પાકિસ્તાને 9 વર્ષની વાટાઘાટો પછી 19 સપ્ટેમ્બર, 1960ના રોજ સિંધુ જળ સંધિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેમાં વિશ્વ બેંક દ્વારા પણ સહી કરવામાં આવી હતી.
બંને દેશોના જળ કમિશનરો વર્ષમાં બે વાર મળે છે અને પ્રોજેક્ટ સાઇટ્સ અને મહત્વપૂર્ણ નદીના હેડવર્ક્સની તકનીકી મુલાકાત ગોઠવે છે, પરંતુ પાકિસ્તાન દ્વારા આ સંધિના નિયમો અને નિયમોની સતત અવગણના કર્યા, બાદ કેન્દ્ર સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.