Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Coronavirus: મલેશિયામાં ફસાયેલા 68 ભારતીયોને લઈ કોચ્ચિ પહોંચ્યું INS જલાશ્વ

Coronavirus: મલેશિયામાં ફસાયેલા 68 ભારતીયોને લઈ કોચ્ચિ પહોંચ્યું INS જલાશ્વ

કોચ્ચિઃ કોરોના વાયરસથી લૉકડાઉનને કારણે માલદીવમાં ફસાયેલા 698 ભારતીયોને લઈ નૌસેનાનું યુદ્ધજહાજ આઈએનએસ જલાશ્વ કોચ્ચી પહોંચી ગયું છે. અધિકારીઓ પાસેથી મળેલી જાણકારી મુજબ 698 ભારતીય નાગરિકોમાં 19 ગર્ભવતી મહિલાઓ છે. રાજ્ય સકકારે માંગ કરી છે કે પરત લાવવામાં આવતા તમામ લોકોના દેશ પહોંચતા પહેલા કોવિડ 19 ટેસ્ટ જરૂર કરવામાં આવે. સાથે જ તેમણે ભારત લાવ્યા બાદ મલ્ટી લેવલ સ્ક્રીનિંગથી પસાર થવું. જેમાં થર્મલ ટેસ્ટિંગ વગેરે સામેલ હોય.

જણાવી દઈએ કે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા દેશ લાવવાનો સિલસિલો ચાલુ છે. જ્યાં એક તરફ એર ઈન્ડિયાએ આના માટે 7 મેથી 13 મે વચ્ચે 64 પેડ ફ્લાઈટ ચલાવવાનો ફેસલો કર્યો છે જ્યારે બીજી તરફ ભારતીય નૌસેનાએ આવી ગતિવિધિઓને પાણી પર ચલાવવાનો ફેસલો લીધો છે.

મિશન વંદે ભારતથી ભારતીયોની વતન વાપસી

મિશન વંદે ભારતથી ભારતીયોની વતન વાપસી

કોરોના વાયરસને કારણે વિદેશોમાં ફસાયેલા ભારતીયોને લાવવા માટે મિશન વંદે ભારતનો આજે ચોથો દિવસ છે. કુલ 1373 ભાારતીય યાત્રી મસ્કટ, દુબઈ, કુવૈત, શારજાહ, કુઆલા લંપૂર અને ઢાકાથી કાલે ભારત પરત ફર્યા છે અને સ્પેશિયલ ફ્લાઈટ્સ અને જહાજથી વતન વાપસીનો સિલસિલો હજી પણ ચાલુ છે. પહેલી ફ્લાઈટ બાંગ્લાદેશના ઢાકાથી દિલ્હી આવી, જેમાં 129 લોકો સવાર હતા. તમામનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું, જે બાદ તેઓ દિલ્હી એરપોર્ટથી નીકળ્યા.

કોચ્ચિ પહોંચ્યું જહાજ

એર ઈન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઈટથી 177 યાત્રીઓ અને 4 નવજાત બાળકોને લઈ કુવૈતથી કોચ્ચિ લઈ પહોંચ્યા. જ્યારે કુવૈતથી નીકળી 163 ભારતીય ફ્લાઈટથી હૈદરાબાદ પહોંચ્યા. ઓમાનના મસ્કટથી પણ કેટલાય યાત્રી કોચ્ચિ ફરેલા લોકોએ પણ તેમને પોતાના વતન પાછા લાવવા માટે સરકારને ધન્યવાદ આપ્યો છે.

દુબઈથી પહેલી ફ્લાઈટ 182 ભારતીયોને લાવી

દુબઈથી પહેલી ફ્લાઈટ 182 ભારતીયોને લાવી

દુબઈથી પહેલી ફ્લાઈટ 182 ભારતીયોને લઈ ચેન્નઈ એરપોર્ટ પહોંચી. જ્યારે બીજી ફ્લાઈટથી 177 લોકો દુબઈથી ચેન્નઈ આવ્યા. આ તમામની સ્ક્રિનિંગ બાદ જ તેમને જવા દેવામાં આવ્યું. જ્યારે યૂએઈના શારજાદથી પણ 180 ભારતીયોને લઈ વિમાન યૂપીના લખનઉમાં લેન્ડ થયું, જેમાં 2 બાળકો પણ સામેલ હતા. મલેશિયાના કુઆલા લંપૂરથી 177 લોકો સાથે સ્પેશિયલ વિમાન તમિલનાડુના તિરુચ્ચિરાપલ્લી પહોંચ્યું.આ તમામને પણ સ્ક્રિનિંગ બાદ જ એરપોર્ટ જવા દેવામાં આવ્યા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X