મારી સંપતિની તપાસ કરો, ગેરકાયદેસ હોય તો બુલડોઝર ચલાવો-મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે તેમણે બંગાળના મુખ્ય સચિવને તેમની અંગત મિલકતોની તપાસ કરવા અને જો ગેરકાયદેસર જણાય તો તેને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે.
નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે તેમણે બંગાળના મુખ્ય સચિવને તેમની અંગત મિલકતોની તપાસ કરવા અને જો ગેરકાયદેસર જણાય તો તેને તોડી પાડવાનો નિર્દેશ આપ્યો છે. તાજેતરમાં જ સીએમ મમતા બેનર્જીના સંબંધીઓની સંપત્તિની તપાસને લઈને કોલકાતા હાઈકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જે બાદ તેમણે એક સવાલના જવાબમાં આ વાત કહી.
ગયા અઠવાડિયે EDએ પશ્ચિમ બંગાળ કોલસા કૌભાંડમાં ચાલી રહેલી તપાસના સંદર્ભમાં સીએમ મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જીને નવેસરથી સમન્સ જારી કર્યા હતા. સીએમના સંબંધીઓની સંપત્તિની તપાસને લઈને કલકત્તા હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પછી ટીએમસીએ આરોપોનો જવાબ આપ્યો છે.
બુધવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે તેમણે તેમની સંપત્તિની તપાસ કરવા માટે સૂચના આપી છે અને કહેવામાં આવ્યું છે કે જો કોઈ ગેરકાયદેસરતા જોવા મળે તો કાર્યવાહી કરવામાં આવે. મુખ્યમંત્રીએ કહ્યું કે જો તેમના પરિવારના સભ્યોને કોઈપણ કેન્દ્રીય તપાસ એજન્સી તરફથી નોટિસ મળશે તો તેઓ તેમની સાથે કાયદાકીય રીતે લડશે. સીએમએ કહ્યું કે મારા પર સરકારી જમીન પર ગેરકાયદે કબજો કરવાનો આરોપ છે, તેથી મેં મારા મુખ્ય સચિવને આદેશ આપ્યો છે કે કોઈ જમીન ગેરકાયદેસર રીતે સંપાદિત કરવામાં આવી છે કે કેમતે જાણવા મળે તો તેના પર બુલડોઝરનો ઉપયોગ કરો.
સીએમ મમતા બેનર્જીએ કહ્યું, તેઓ કહી રહ્યા છે કે કોલસાના તમામ પૈસા કાલીઘાટ જઈ રહ્યા છે. પણ કાલીઘાટ ક્યાં છે? મને કહો? બધા લોકોને હંમેશા મૂર્ખ બનાવી શકતા નથી. હું સામાજિક કાર્ય માટે રાજકારણમાં આવી છું. જો મેં આ પ્રકારનું રાજકારણ અગાઉ જોયું હોત તો હું અત્યાર સુધીમાં નિવૃત્ત થઈ ગઈ હોત.