IRCTC કૌભાંડ: તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી, CBIએ જામીન રદ્દ કરવા કોર્ટમાં કરી અરજી
IRCTC કૌભાંડને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈએ તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પછી કોર્ટે તેજસ્વી યાદવને પણ નોટિસ પાઠવી છે. આ અરજી બાદ સીબીઆઈની
IRCTC કૌભાંડને લઈને બિહારના ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવની મુશ્કેલીઓ વધી ગઈ છે. સીબીઆઈએ તેજસ્વી યાદવના જામીન રદ કરવા માટે દિલ્હી કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ પછી કોર્ટે તેજસ્વી યાદવને પણ નોટિસ પાઠવી છે. આ અરજી બાદ સીબીઆઈની વિશેષ કોર્ટે તેજસ્વીને સમન્સ પાઠવ્યા છે.

સીબીઆઈએ કોર્ટમાં રજૂઆત કરી છે કે આ ગંભીર બાબત છે. યાદવ કેસની તપાસને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી તેમના જામીન રદ કરવામાં આવે જેથી આ મામલે નિષ્પક્ષ તપાસ થઈ શકે. સીબીઆઈએ અરજીમાં એમ પણ કહ્યું હતું કે તેજસ્વી યાદવના બહાર રહેવાથી કેસના ઘણા સાક્ષીઓ પ્રભાવિત થઈ શકે છે. આવી સ્થિતિમાં યાદવને આપવામાં આવેલી રાહત રદ કરવી જોઈએ.
સીબીઆઈનું કહેવું છે કે તેજસ્વીએ પ્રેસ કોન્ફરન્સમાં સીબીઆઈ અધિકારીઓને કથિત રીતે ધમકી આપી હતી. તેજસ્વી યાદવના જામીન રદ કરવા જોઈએ કારણ કે તેણે જામીનની શરતોનું ઉલ્લંઘન કર્યું છે. ANI અનુસાર, વિશેષ ન્યાયાધીશ ગીતાંજલિ ગોયલે CBIની અરજી પર તેજસ્વી યાદવને નોટિસ જારી કરીને આ મામલે તેમનો જવાબ માંગ્યો છે.
આ નોટિસમાં કોર્ટે તેજસ્વીને એ સવાલનો જવાબ આપવા કહ્યું છે કે શા માટે તેમની જામીન રદ કરવામાં ન આવે. CBI સૂત્રોનું કહેવું છે કે આ અરજી IRCTC ટેન્ડર કૌભાંડને લઈને આપવામાં આવી છે. તે જાણીતું છે કે તેજસ્વી યાદવ IRCTC ટેન્ડર કૌભાંડ કેસમાં વર્ષ 2018 થી જામીન પર બહાર છે. આ કેસમાં સીબીઆઈએ પહેલા જ તેજસ્વી યાદવ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ કલમ 420, 120બી અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે.












Click it and Unblock the Notifications
