For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મુ-કાશ્મીરના ગૃહરાજ્યમંત્રીએ હિંસાના આરોપના પગલે સોપ્યું રાજીનામુ

|
Google Oneindia Gujarati News

sajjad kichloo
શ્રીનગર, 13 ઑગસ્ટ: કિશ્તવાડમાં બે જૂથોમાં થયેલી ઝડપ બાદ થયેલી હિંસાને લઇને જમ્મુ કાશ્મીરના ગૃહરાજ્ય મંત્રી સજ્જાદ અહેમદ કિચલૂએ આજે પોતાનું રાજીનામું ધરી દીધું છે. કિચલૂ પર હિંસામાં સામેલ થવાનો આરોપો લાગી રહ્યા હતા.

જોકે કિચલૂએ પોતાની ઉપર લાગેલા બધા જ આરોપોને નિરાધાર ગણાવી જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાહને પોતાનું રાજીનામુ આપી દીધું છે. તેમની પર એવા આરોપ લાગી રહ્યા હતા કે જે વખતે કિશ્તવાડમાં હિંસા થઇ રહી હતી, ગૃહરાજ્યમંત્રી સજ્જાદ કિચલૂ કિશ્તવાડમાં જ હાજર હતા.

રાજ્યસભામાં નેતા વિપક્ષ અરૂણ જેટલીએ પણ તેમની પર આંગળી ઉઠાવતા જણાવ્યું કે હિંસામાં એક વરિષ્ઠ નેતા પણ સામેલ હતો. પોતાની પર લાગી રહેલા આવા આરોપના પગલે કિચલૂએ પોતાના પદ પરથી આજે રાજીનામું ધરી દીધું છે.

English summary
Jammu and Kashmir Minister of State for Home Sajad Kitchloo today submitted his resignation to Chief Minister Omar Abdullah pending judicial inquiry into Kishtwar communal violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X