જહાંગીરુપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન અચાનક હિંસા કઈ રીતે ભડકી?
જહાંગીરુપુરી હિંસા : હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન અચાનક હિંસા કઈ રીતે ભડકી?
દિલ્હીના જહાંગીરપુરીમાં શનિવારે થયેલી હિંસા દરમિયાન ઘાયલ થયેલા પોલીસ સબ-ઇન્સ્પેક્ટરે આ અથડામણ અંગે અનેક વાત કહી છે, હિંસા દરમિયાન થયેલા ફાયરિંગ અંગે પણ તેમણે વાત કરી છે.

હિંસા દરમિયાન ચાલેલી ગોળીઓથી દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર મેઘાલાલ ઈજાગ્રસ્ત થયા હતા, રવિવારે તેમણે કહ્યું કે હિંસા દરમિયાન સી-બ્લૉક તરફથી ગોળીબાર થયો હતો.
મેઘાલાલે જહાંગીરપુરીમાં થયેલી અથડામણ અંગે તેમણે સમાચાર સંસ્થા એએનઆઈ સાથે વાત કરતા કહ્યું, "રવિવારે અહીં એક સરઘસ નીકળ્યું હતું, જેવું તે મસ્જિદ પાસે પહોંચ્યું કે તરત બે જૂથ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ."
- દિલ્હીમાં હનુમાનજયંતીની શોભાયાત્રા દરમિયાન બે સમુદાય વચ્ચે અથડામણ, બે પોલીસકર્મી ઘાયલ
- હિંમતનગરમાં રામનવમીના દિવસે અચાનક હિંસા કઈ રીતે શરૂ થઈ, કોણે કર્યો પથ્થરમારો?
ગોળીબાર ક્યાંથી થયો?

મેઘાલાલ આગળ કહે છે કે "થોડી જ વારમાં પથ્થરમારો શરૂ થઈ ગયો પણ બંને જૂથ ત્યાંથી ખસી ગયાં. સરઘસ સાથે આવેલું જૂથ જી બ્લૉક તરફ વળી ગયું અને અને જે જૂથ મસ્જિદ પાસે હતું તે સી બ્લૉક તરફ જતું રહ્યું."
તેમણે આગળ કહ્યું કે "એ બાદ સી બ્લૉક તરફથી પથ્થરમારો થયો, પછી એ જ તરફથી ગોળીબાર પણ થયો. એ પછી લોકો તલવાર લઈને સી બ્લૉક તરફ દોડ્યા."
"આ દરમિયાન મને પણ એક ગોળી વાગી ગઈ, હું તરત જ પીસીઆરમાં હૉસ્પિટલ જતો રહ્યો."
તેમનું કહેવું છે કે હિંસા થઈ એ વખતે ત્યાં હજારો લોકો હતા, ત્યાં પોલીસને એક ટુકડી પણ હતી. પથ્થરમાર દરમિયાન અનેક પોલીસકર્મીઓને ઈજા થઈ હતી.
- શું તમને મોબાઇલ ફોનનો સતત ઉપયોગ કરવાનું મન થાય છે? તો આ લત કઈ રીતે છોડશો?
- ભારતના પ્રથમ મુસ્લિમ ગૃહમંત્રીની પુત્રીનું અપહરણ, જે કાશ્મીરની કહાણીનું ટર્નિંગ પૉઇન્ટ બન્યું
14 લોકોની ધરપકડ
ઉત્તર-પશ્ચિમ દિલ્હીનાં ડીસીપી ઉષા રંગનાણીએ જણાવ્યું કે જહાંગીરપુરીમાં હિંસા મામલે રવિવારે પાંચ અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે. એ બાધ ધરપકડનો કુલ આંક 14 થયો છે.
ઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે, શનિવારે હનુમાન જયંતીની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી, જેમાં કેટલાક પોલીસકર્મચારીઓ પણ ઘાયલ થયા.
પોલીસ અનુસાર, પથ્થરમારો કરાયા બાદ કેટલાંક વાહનોમાં આગચંપી કરવામાં આવી હતી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સમાચાર આપ્યા છે કે ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી અને જરૂરી પગલાં લેવાની સૂચના આપી હતી.
https://www.youtube.com/watch?v=yMbvGXu-THU
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
