સરબજીત પરના હુમલામાં જેલ અધિકારીઓની મિલિભગત : પૂર્વ ગુપ્તચર

પૂર્વ ગુપ્તચરે દાવો કર્યો છે કે વર્ષ 1977માં તેમને પૂર્વ વડાપ્રધાન ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની હત્યા કરવા માટે બ્લેંક ચેક કરી દેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ફાંસીની સજા મેળવનાર કોઇ પણ કેદી પર આ પ્રકારથી હુમલો કરવો એ જેલ અધિકારીઓની મિલિભગત વિના શક્ય નથી.
ભુટ્ટોને પ્રધાનમંત્રી પદ પરથી દૂર કરાયા બાદ તેમને તે સમયે લાહોર જેલામાં જ રાખવામાં આવ્યા હતા. ભારતીય જાસૂસ હોવાના આરોપમાં 1976થી 1996 સુધી પાકિસ્તાનની વિવિધ જેલોમાં કેદ રહેનારા ઇલાહીએ જણાવ્યું કે પાકિસ્તાનમાં મોતની સજા મેળવેલા કેદીઓ પર કડક નજર રાખવામાં આવે છે.
પાકિસ્તાનના વર્તમાન રાષ્ટરપતિ આસિફ અલી જરદારીની સાથે સમય પસાર કરનારા ઇલાહીએ જણાવ્યું કે "આવા કેદીઓને દિવસમાં માત્ર એક વાર અડધો કલાક માટે પગ છૂટો કરવા માટે સેલમાંથી બહાર કાઢવામાં આવે છે. આ દરમિયાન પણ તેમના હાથમા હાથકડી પહેરાવેલી હોય છે. આ કારણે ફાંસીની સજા મેળવેલા કેદી પર હુમલો કરવો અસંભવ છે."
ઉલ્લેખનીય છે કે 26 એપ્રિલના રોજ પાકિસ્તાનની જેલમાં બંધ સરબજીત પર થયેલા પ્રાણઘાતક હુમલાના કિસ્સામાં બે જેલ અધિકારીઓએ જેલના બે કેદી વિરુદ્ધ ફરિયાદ નોધી છે. આ બંને પણ ફાંસીની સજા મેળવેલા કેદીઓ છે.
આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સરબજીત ખરાબ રીતે ઘવાયેલો છે અને તે કોમામાં છે. લાહોરની જિન્ના હોસ્પિટલમાં તેનો ઇલાજ ચાલી રહ્યો છે. ઇલાહીએ જણાવ્યું કે "પાકિસ્તાનની જેલોમાં કડક સુરક્ષા હોય છે. બહાર આંટો મારવા નીકળેલા કેદી પર એક સાથે અનેકની નજર રહે છે. એક જ સમયે ફાંસીની સજા પામેલા બે કેદીઓને નીકાળવામાં આવતા નથી. તેમને એક પછી એક બહાર કાઢવામાં આવે છે. એક કેદીના સેલમાં બંધ થવા સુધી બીજો રાહ જોવે છે. આવી સ્થિતિમાં પાકિસ્તાનના જેલ અધિકારીઓનો દાવો કે ફાંસીની સજા પામેલા બે કેદીએ હુમલો કર્યો એ વાત ગળે ઉતરતી નથી."
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
