અમિત શાહ અમિત શાહ વિરૂદ્ધ કાર્યવાહીકાર્યવાહીની માંગ સાથે જયરામ રમેશે રાજ્યસભામાં નોટીસ આપી, જાણો શું છે વિવાદ?
એક તરફ કેરળમાં ભુસ્ખલનને કારણે ઘણા લોકોના જીવ ગયા છે તો બીજી તરફ અમિત શાહે ખોટા દાવા કરીને રાજનીતિ કરી હતી. હવે આ મુદ્દે જયરામ રમેશે રાજ્યમાં નોટીસ આપી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે રાજ્યસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ 187 હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.

જયરામ રમેશે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરને લખેલા પત્રમાં આ માંગણી કરી છે. જયરામ રમેશે પત્રમાં લખ્યું કે, 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે રાજ્યસભામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ઘણા દાવા કર્યા, જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે વાયનાડમાં દુર્ઘટના પહેલા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યા હોવા છતાં કેરળ સરકારે તેનો ઉપયોગ કર્યો નહીં.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે લખ્યું કે, આ દાવાઓનું મીડિયામાં વ્યાપકપણે તથ્ય તપાસવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ 2024ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલ હકીકત તપાસ અહેવાલ પણ સામેલ છે.
જયરામે કહ્યું કે, આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી પૂર્વ ચેતવણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના નિવેદનોથી રાજ્યસભાને ગેરમાર્ગે દોરી છે અને દાવા સદંતર ખોટા સાબિત થયા છે.
રાજ્યસભાના સદસ્ય જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે તે દરેક વ્યક્તિ જાણે છે કે મંત્રી અથવા સભ્ય દ્વારા ગૃહને ગેરમાર્ગે દોરવું એ વિશેષાધિકારનો ભંગ અને ગૃહની તિરસ્કાર માનવામાં આવે છે. આ સંજોગોમાં અમે માંગ કરીએ છીએ કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. તેમણે આ અકસ્માત માટે કેરળ સરકારને જવાબદાર ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જુલાઈએ તેનું એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ કેરળ સરકારે તેની અવગણના કરી.
જણાવી દઈએ કે, એક તરફ 300 જેટલા લોકોના મોત અને બીજી તરફ અમિત શાહની આવી રાજનીતિથી લોકો પણ આહત થયા હતા. હવે કોંગ્રેસે સંસદમાં નોટીસ આપી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
