અમિત શાહ અમિત શાહ વિરૂદ્ધ કાર્યવાહીકાર્યવાહીની માંગ સાથે જયરામ રમેશે રાજ્યસભામાં નોટીસ આપી, જાણો શું છે વિવાદ?
એક તરફ કેરળમાં ભુસ્ખલનને કારણે ઘણા લોકોના જીવ ગયા છે તો બીજી તરફ અમિત શાહે ખોટા દાવા કરીને રાજનીતિ કરી હતી. હવે આ મુદ્દે જયરામ રમેશે રાજ્યમાં નોટીસ આપી છે.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે શુક્રવારે રાજ્યસભામાં કાર્યપ્રણાલી અને કારોબારના નિયમ 187 હેઠળ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરી છે.

જયરામ રમેશે રાજ્યસભા અધ્યક્ષ જગદીપ ધનખરને લખેલા પત્રમાં આ માંગણી કરી છે. જયરામ રમેશે પત્રમાં લખ્યું કે, 31 જુલાઈએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે રાજ્યસભામાં પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અર્લી વોર્નિંગ સિસ્ટમ પર ઘણા દાવા કર્યા, જેમાં તેમણે જણાવ્યું કે કેવી રીતે વાયનાડમાં દુર્ઘટના પહેલા કેન્દ્ર સરકારે એલર્ટ જાહેર કર્યા હોવા છતાં કેરળ સરકારે તેનો ઉપયોગ કર્યો નહીં.
કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે લખ્યું કે, આ દાવાઓનું મીડિયામાં વ્યાપકપણે તથ્ય તપાસવામાં આવ્યું છે. 2 ઓગસ્ટ 2024ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત થયેલ હકીકત તપાસ અહેવાલ પણ સામેલ છે.
જયરામે કહ્યું કે, આ સ્થિતિમાં સ્પષ્ટ છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી પૂર્વ ચેતવણી પર કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે તેમના નિવેદનોથી રાજ્યસભાને ગેરમાર્ગે દોરી છે અને દાવા સદંતર ખોટા સાબિત થયા છે.
રાજ્યસભાના સદસ્ય જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે તે દરેક વ્યક્તિ જાણે છે કે મંત્રી અથવા સભ્ય દ્વારા ગૃહને ગેરમાર્ગે દોરવું એ વિશેષાધિકારનો ભંગ અને ગૃહની તિરસ્કાર માનવામાં આવે છે. આ સંજોગોમાં અમે માંગ કરીએ છીએ કે આ મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે વિશેષાધિકાર ભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટના અંગે વાત કરી હતી. તેમણે આ અકસ્માત માટે કેરળ સરકારને જવાબદાર ગણાવી હતી. અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જુલાઈએ તેનું એલર્ટ જાહેર કર્યું હતું, પરંતુ કેરળ સરકારે તેની અવગણના કરી.
જણાવી દઈએ કે, એક તરફ 300 જેટલા લોકોના મોત અને બીજી તરફ અમિત શાહની આવી રાજનીતિથી લોકો પણ આહત થયા હતા. હવે કોંગ્રેસે સંસદમાં નોટીસ આપી છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
