પાકિસ્તાનમાં પીએમ મોદી અને ડોવાલ પર આત્મઘાતી હુમલાનુ ષડયંત્ર, જૈશે બનાવ્યુ સ્પેશિયલ સ્કવૉડ
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી અકળાયેલા પાકિસ્તાને હવે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે મળીને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી છે.
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાથી અકળાયેલા પાકિસ્તાને હવે આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે મળીને મોટા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી કરી છે. ઈંગ્લિશ ડેઈલી ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના એક રિપોર્ટ અનુસાર જૈશે એક સ્પેશિયલ સ્કવૉડ તૈયાર કર્યુ છે. આ સ્કવૉડને ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોવાલને નિશાન બનાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યુ છે.

સપ્ટેમ્બરમાં મોટા આતંકી હુમલાની તૈયાર
ઈન્ટેલીજન્સ એજન્સીઓના સૂત્રોના હવાલાથી એ અંગેની માહિતી આપવામાં આવી છે કે પાકિસ્તાનની એજન્સી આઈએસઆઈ આ વાતની પચાવી નથી શકી રહી કે ભારતે જમ્મુ કાશ્મીર રાજ્યને મળેલો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો છે. આ હતાશાના કારણે તેણે જૈશના ટૉપ કમાંડર્સ સાથે એક મોટા આતંકી હુમલા માટે હાથ મિલાવ્યા છે. કહેવામાં આવી રહ્યુ છે કે એક વિદેશી ઈન્ટેલીજન્સ એજન્સી તરફથી પાકિસ્તાનમાં હાજર જૈશના ઑપરેટિવ શમશેર વાની અને તેના હેન્ડલર વચ્ચે થયેલી વાતચીતને ઈન્ટરસેપ્ટ કરવામાં આવી હતી. અધિકારીઓની માનીએ તો આ કમ્યુનિકેશન એક હેન્ડરીટન નોટમાં હતુ. ઈનપુટ મુજબ જૈશ સપ્ટેમ્બરમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે.

30 શહેરોમાં પોલિસ હાઈ એલર્ટ પર
જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, જયપુર, ગાંધીનગર, કાનપુર અને લખનઉની પોલિસ સહિત 30 શહેરોની પોલિસને આ બાબતે એલર્ટ કરી દેવામાં આવી છે. એનએસએ ડોવાલની સુરક્ષા વ્યવસ્થાનુ પણ મોનિટરીંગ કરવામાં આવ્યુ છે. ડોવાલ પાસે હાલમાં ઝેડ પ્લસ સિક્યોરિટી છે અને એન્ટી-ટેરર ઑપરેશન્સના કારણે તેમને આ સુરક્ષા કવર આપવામાં આવ્યુ છે. વર્ષ 2016માં થયેલી સર્જિકલ સ્ટ્રાઈક હોય કે પછી બાલાકોટ એરસ્ટ્રાઈક ડોવાલે એક મહત્વની ભૂમિકા નિભાવી હતી. જૈશ 26 ફેબ્રુઆરીના રોજ બાલાકોટ એર સ્ટ્રાઈક બાદથી હતાશ છે જેમાં તેના ઘણા ઑપરેટીવ્સ ઠાર મરાયા હતા.

પુલવામા જેવા ષડયંત્રને અંજામ આપવાની તૈયારી
પાંચ ઓગસ્ટના રોજ ભારતે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ને હટાવી દીધુ હતુ. ત્યારબાદથી જ જૈશ 14 ફેબ્રુઆરીના રોજ થયેલા પુલવામા આતંકી હુમલા જેવા ષડયંત્રને અંજામ આપવાની કોશિશોમાં લાગેલુ છે. સીઆરપીએફ કાફલામાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. 12-13 સપ્ટેમ્બરે પાકિસ્તાનની આર્મીએ બૉર્ડર એક્શન ટીમ (બેટ) એ સુસાઈડ બૉમ્બર્સના એક મોટા જૂથને પીઓકેના હાજીપોરથી દાખલ કરાવવાની કોશિશ કરી હતી. જો કે સેનાએ આ પ્રયાસને નિષ્ફળ કરી દીધો હતો.

બદલેલા નામ સાથે 30 હુમલાખોરોની ટીમ
મંગળવારે સમાચાર આવ્યા હતા કે જૈશે હવે પોતાનુ નામ બદલીને મજલિસ-વુરાસા-એ-શાહુદા જમ્મુ વા કાશ્મીર કરી લીધુ છે. સંગઠને આંતરરાષ્ટ્રીય દબાણના કારણે આ પગલુ ઉઠાવ્યુ છે. એજન્સીઓએ જણાવ્યુ છે કે જૈશે માત્ર નામ બદલ્યુ છે અને તેની લીડરશિપ અને ટેરરિસ્ટ કેડરમાં કોઈ ફેરફાર થયો નથી. પાકિસ્તાન પર નજર રાખનાર એજન્સીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે જૈશે ભારત પર હુમલો કરવાના હેતુથી 30 આત્મઘાતી હુમલાખોરોને તૈયાર કરી લીધા છે. વળી, જૈશે બહાવલપુર અને સિયાલકોટમાં પોતાના ટ્રેનિંગ સેન્ટર ફરીથી સક્રિય કરી દીધા છે.
-
યુએન રિપોર્ટમાં અધૂરા વચનો વચ્ચે શ્રીમંત અને ગરીબ રાષ્ટ્રો વચ્ચે વધતી જતી ખાઈનો ખુલાસો થયો છે -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
