Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કુલગામ એન્કાઉન્ટરમાં જૈશનો એક આતંકી ઠાર, 1 જવાન શહીદ

જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 1 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ રોહિત છિબ તરીકે થઈ છે.

શ્રીનગર : જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં 1 આતંકવાદી માર્યા ગયાના સમાચાર છે. જો કે આ એન્કાઉન્ટરમાં સેનાનો એક જવાન પણ શહીદ થયો છે. શહીદ જવાનની ઓળખ રોહિત છિબ તરીકે થઈ છે. ત્યાં માર્યા ગયેલા આતંકવાદી જૈશ એ મોહમ્મદ આતંકવાદી સંગઠનનો હોવાનું કહેવાય છે. આ એન્કાઉન્ટરમાં 3 જવાન પણ ઘાયલ થયા હોવાનું કહેવાય છે. આ સિવાય બે સ્થાનિક નાગરિકો પણ ઘાયલ થયાના અહેવાલ છે.

Jammu Kashmir

એન્કાઉન્ટર કુલગામના પરિવાન વિસ્તારમાં થયું હતું

જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સુરક્ષા દળોને કુલગામ જિલ્લાના પરવાન વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. આ પછી સુરક્ષા દળોની ટીમે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ઘેરાબંધી બાદ આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી કાર્યવાહીમાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. આર્મી, પોલીસ અને સીઆરપીએફની સંયુક્ત ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે.

રવિવારના રોજ પણ કુલમાગમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા

ઉલ્લેખીય છે કે, બે દિવસ પહેલા રવિવારના રોજ પણ કુલગામ જિલ્લામાં સુરક્ષાદળોનું આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર થયું હતું, જેમાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર કુલગામ જિલ્લાના હસનપોરા વિસ્તારમાં થયું હતું. પોલીસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, હસનપોરામાં આતંકવાદીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ગામની ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બંને તરફથી ગોળીબાર શરૂ થયો હતો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X