જમ્મુ કાશ્મીર: LAC પર પાકિસ્તાનની ગોળીબારીમાં 3 જવાન શહિદ, જવાબી કાર્યવાહીમાં પાક.ના 12 જવાન
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગમાં જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવતા ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં
પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામના ભંગમાં જમ્મુ-કાશ્મીરમાં એલઓસી પર ફાયરિંગ કરવામાં આવતા ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા છે. શુક્રવારે પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ અને સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઉરી સેક્ટરમાં બે અને ગુરેઝ સેક્ટરમાં એક જવાન શહીદ થયો હતો. શહીદ જવાનોમાં બીસીએફનો એક સબ ઈન્સ્પેક્ટર પણ છે. આ ગોળીબારમાં ત્રણ નાગરિકોના મોત પણ થયા છે. તે જ સમયે, ભારતીય સેનાના જવાબી ગોળીબારમાં 10 થી 12 પાક સૈન્યના જવાનોના મોત થયાના સમાચાર છે.
સૈન્યના સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંદીપોરા જિલ્લામાં ગુરેઝ સેક્ટરના ઇઝમાર્ગમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધવિરામ કરારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. બારામુલ્લાના ઉરી સેક્ટરમાં પણ પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકી પર ફાયરિંગ કર્યું હતું. પાકિસ્તાન તરફથી સામાન્ય લોકો અને વસાહતોને નિશાન બનાવતા ફાયરિંગ થયું હતું. બારામુલ્લાના એસડીએમ રિયાઝ અહમદ મલિકે કહ્યું છે કે ઉરી સેક્ટર પર પાક ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે અને ચાર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગને ભારત તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે. ભારતીય સેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર, જવાબી કાર્યવાહીમાં ભારતે 10 થી 12 પાકિસ્તાની સૈનિકોને માર્યા ગયા છે. પાકિસ્તાન આર્મીના સ્પેશિયલ સર્વિસ ગ્રુપના 3 સૈનિકો પણ છે. ભારતીય સેનાના જણાવ્યા મુજબ પાકિસ્તાને ઉરીથી ગુરેઝ સુધીના વિસ્તારોમાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું હતું, જેને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો: ભાજપ ઉપાધ્યક્ષ બૈજયંત પાંડાની મુશ્કેલી વધી, ડ્રાઈવરના નામનો ઉપયોગ કરી દલિતોની જમીન પચાવી