જમ્મુ કાશ્મીર બની શકે રાજ્ય, નિર્મલા સિતારમણે કહ્યું - વિચાર કરી રહી છે કેન્દ્ર સરકાર
જમ્મુ કાશ્મીરને બહુ જલ્દી રાજ્યનો દરજ્જો મળી શકે છે. આ અંગે વાત કરતા નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણ કરી રહી છે.
જમ્મુ કાશ્મીરને બહુ જલ્દી રાજ્યનો દરજ્જો મળી શકે છે. આ અંગે વાત કરતા નાણાંમંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે આ અંગે વિચારણ કરી રહી છે. આ દરમિયાન સિતારમણે 14મા નાણા આયોગની ભલામણ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને આપવામાં આવતા નાણ અંગે પણ જાણકારી આપી હતી.
PM મોદીએ 14મા નાણાં પંચની ભલામણને સ્વીકારી
સિતારમણે કેન્દ્ર-રાજ્ય સંબંધો પર વાત આપતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014-15માં 14મા નાણાં પંચની આ ભલામણનેખચકાટ વિના સ્વીકારી હતી. આ સાથે નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, કુલ ટેક્સ કલેક્શનનો 42 ટકા હિસ્સો નાણાંપંચ દ્વારા રાજ્યોને આપવામાં આવે છે.
|
રાજ્યોને 42 ટકા ફંડ મળે છે
સમાચાર એજન્સી ANIના અહેવાલ અનુસાર, નાણાં મંત્રી સિતારમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ નાણાં પંચના રિપોર્ટને સંપૂર્ણપણે સ્વીકાર્યો અને તેથી જ આજે રાજ્યોને 42 ટકા ફંડ મળે છે. જમ્મુ અને કાશ્મીરને 41 ટકા પૈસા મળે છે. કારણ કે, તે રાજ્ય નથી. આ સાથે એવી સંભાવના છે કે, ટૂંક સમયમાં તેનું રાજ્યત્વ પુનઃસ્થાપિત કરવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે
અત્રે નોંધપાત્ર છે કે, 5 સપ્ટેમ્બર, 2019ના રોજ કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દેવામાં આવી હતી, ત્યારબાદ જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો હતો.
આવા સમયે કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરીને અલગ કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપ્યો હતો. આ અંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, યોગ્ય સમયે ચોક્કસપણે જમ્મુ-કાશ્મીરનો રાજ્યનો દરજ્જો આપવામાં આવશે.